રાજકારણ@ગુજરાત: સૌ પ્રથમ આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે ચાર્જ લીધો, 11:45 વાગ્યે હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી તરીકે હોદ્દો સંભાળશે
રાજ્ય આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા વિજય મુહૂર્તે બપોરે 12:39 કલાકે સ્વતંત્ર હવાલા સાથે હોદ્દો સંભાળશે.
Oct 18, 2025, 11:14 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે નવા મંત્રીઓ કાર્યભાર સંભાળવવાનો પ્રારંભ કરી દીધો છે. સૌ પ્રથમ આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે ચાર્જ લીધો હતો. 11:45 વાગ્યે હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી તરીકે હોદ્દો સંભાળશે. રાજ્ય આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા વિજય મુહૂર્તે બપોરે 12:39 કલાકે સ્વતંત્ર હવાલા સાથે હોદ્દો સંભાળશે. મહદઅંશે તમામ નવા પ્રધાનો સવારે 11થી 12:39 સુધીમાં પોતાના વિભાગોના હોદ્દા સંભાળી કાર્યનો પ્રારંભ કરશે.
દિવાળી અને નૂતન વર્ષ પર્વ નિમિત્તે 26 નવેમ્બર સુધી સચિવાલયમાં વેકેશન રહેશે. 27 ઓક્ટોબરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવરચિત સરકાર સંપૂર્ણ રીતે કાર્યરત થશે. ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ 1 અને 2માં આજે નવા પ્રધાનોના આવકાર માટે ઉત્સવનું આયોજન કરાયું છે.