રાજકારણ@ગુજરાત: મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, સંઘવી સૌથી યુવા DyCM, કેબિનેટમાં એક પણ મહિલા નથી

વાઘાણી, મોઢવાડિયા, રીવાબા સહિતના મંત્રીઓએ હાથમાં ભગવદ્ ગીતા લઇને શપથ લીધા
 
રાજકારણ@ગુજરાત: નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, સંઘવી સૌથી યુવા DyCM, કેબિનેટમાં એક પણ મહિલા નથી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન થઈ ગઈ છે. હર્ષ સંઘવી સૌથી યુવા યુવા DyCM બન્યા છે. કેબિનેટમાં એક પણ મહિલા નથી. વાઘાણી, મોઢવાડિયા, રીવાબા સહિતના મંત્રીઓએ હાથમાં ભગવદ્ ગીતા લઇને શપથ લીધા

ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન થઈ ગઈ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. હર્ષ સંઘવીએ સૌથી પહેલા શપથ લીધા હતા. તેમને DYCM બનાવાયા છે. ત્યારબાદ જીતુ વાઘાણી, નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા અને રમણ સોલંકીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. ઈશ્વરસિંહ પટેલ, પ્રફુલ પાનસેરિયા, ડો. મનીષા વકીલે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપશ લીધા હતા.

કાંતિ અમૃતિયા, રમેશ કટારા, દર્શનાબેન વાઘેલા, કૌશિક વેકરીયા, પ્રવીણ માળી, જયરામ ગામીત, ત્રિકમ છાગા, સંજય મહીડા, કમલેશ પટેલ, પી.સી.બરંડા, સ્વરૂપજી ઠાકોર, રીવાબા જાડેજાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા. નવા મંત્રીઓ હાથમાં ભગવદ્ ગીતા લઇને શપથ લીધા હતા. ઉલ્લેખનીય છે કે કેબિનેટમાં એક પણ મહિલા મંત્રી નથી. સાથે જ ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, કુંવરજી બાવળિયાએ રાજીનામું ન આપ્યું હોવાથી શપથ લીધી નહોતી.

નવા મંત્રીમંડળમાં CM ભૂપેન્દ્ર પટેલ સહિત 26 મંત્રીઓ બનાવાયા છે. નવા મંત્રીમંડળમાં CM સહિત 7 પાટીદાર, 8 OBC, 3 SC અને 4 STનો સમાવેશ થાય છે. જેમાં 3 મહિલા છે. રિપીટ કરાયેલા મંત્રીઓને ખુદ મુખ્યમંત્રીએ ફોન કરીને જાણ કરી હતી અને કહ્યું હતું કે આપણે સાથે છીએ તમારે શપથ લેવાના છે. તો નવા મંત્રીઓને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ફોન કરીને જાણ કરી હતી.