ધાર્મિક@ગુજરાત: વસંત પંચમી ખુશી, ઉલ્લાસ અને પ્રેમનો પર્વ છે, શા માટે પહેરવામાં આવ છે પીળા કલરના વસ્ત્રો ?

વસંત પંચમી અને શુભ મુહૂર્ત
 
વસંત પંચમી ખુશી, ઉલ્લાસ અને પ્રેમનો પર્વ છે. માહ મહિનાની પાંચમની તિથિ પર દેવી સરસ્વતી પ્રગટ થયા હતા. આ દિવસથી વસંત ઋતુની શરૂઆત માનવામાં આવે છે, એટલા માટે આને વસંત પંચમી કહેવામાં આવે છે. વંસત ઋતુઓનો રાજા છે. આ વર્ષે વસંત પંચમી 14 ફેબ્રુઆરી 2024ના રોજ એટલે આજે ઉજવવામાં આવી રહી છે. આ દિવસે પીળા રંગનું ખાસ મહત્વ છે. સામાન્ય રીતે લોકોને એ સવાલ થાય છે કે વસંત પંચમી પર માતા સરસ્વતીની પૂજામાં ભોગ પ્રસાદથી લઇ પીળા કપડાં જ કેમ ધારણ કરવામાં આવે છે. આ દિવસે પીળી વસ્તુઓનું દાન કરવાનું વિશેષ મહત્વ છે. તો ચાલો જાણીએ વસંત પંચમીનું પીળા રંગ સાથે શું કનેક્શન છે.  વાસ્તવમાં હિન્દુ ધર્મમાં પીળો રંગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. પીળો રંગ જ્ઞાન અને શુભતાનું પ્રતિક છે. વસંત પંચમીનો દિવસ પીળા રંગ સાથે જોડાયેલો છે. તેને સકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવે છે. આ તમામ વસ્તુઓ પીળા રંગને વસંત પંચમી સાથે જોડે છે. વસંત પંચમી પર લોકો પીળા રંગના કપડાં પહેરે છે અને પીળા રંગનું ભોજન પણ બનાવે છે. માતા રાણીને પીળો રંગ અર્પણ કરવામાં આવે છે. આ દિ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વસંત પંચમી ખુશી, ઉલ્લાસ અને પ્રેમનો પર્વ છે. માહ મહિનાની પાંચમની તિથિ પર દેવી સરસ્વતી પ્રગટ થયા હતા. આ દિવસથી વસંત ઋતુની શરૂઆત માનવામાં આવે છે, એટલા માટે આને વસંત પંચમી કહેવામાં આવે છે. વંસત ઋતુઓનો રાજા છે. આ વર્ષે વસંત પંચમી 14 ફેબ્રુઆરી 2024ના રોજ એટલે આજે ઉજવવામાં આવી રહી છે. આ દિવસે પીળા રંગનું ખાસ મહત્વ છે. સામાન્ય રીતે લોકોને એ સવાલ થાય છે કે વસંત પંચમી પર માતા સરસ્વતીની પૂજામાં ભોગ પ્રસાદથી લઇ પીળા કપડાં જ કેમ ધારણ કરવામાં આવે છે.

આ દિવસે પીળી વસ્તુઓનું દાન કરવાનું વિશેષ મહત્વ છે. તો ચાલો જાણીએ વસંત પંચમીનું પીળા રંગ સાથે શું કનેક્શન છે.

વાસ્તવમાં હિન્દુ ધર્મમાં પીળો રંગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. પીળો રંગ જ્ઞાન અને શુભતાનું પ્રતિક છે. વસંત પંચમીનો દિવસ પીળા રંગ સાથે જોડાયેલો છે. તેને સકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવે છે. આ તમામ વસ્તુઓ પીળા રંગને વસંત પંચમી સાથે જોડે છે. વસંત પંચમી પર લોકો પીળા રંગના કપડાં પહેરે છે અને પીળા રંગનું ભોજન પણ બનાવે છે. માતા રાણીને પીળો રંગ અર્પણ કરવામાં આવે છે. આ દિવસે ઘરને પીળા ફૂલોથી શણગારવામાં આવે છે. તેનાથી સકારાત્મક ઉર્જા આવે છે. માતા સરસ્વતીને પીળા રંગનું ભોજન અર્પણ કરવાથી માતા રાણીની કૃપા પ્રાપ્ત થાય છે.

વૈજ્ઞાનિક રીતે કહીએ તો, પીળો રંગ શક્તિનું પરિબળ માનવામાં આવે છે. તે માત્ર મૂડ જ નહિ સુધારે, પરંતુ સારી લાગણી પણ લાવે છે. તેનાથી વ્યક્તિની અંદર સારી લાગણીઓ આવે છે. આ જ કારણ છે કે આ રંગને ખૂબ જ શુભ માનવામાં આવે છે.

કોઈપણ તહેવાર અને તિથિમાં શુભ સમય હોય છે. આ શુભ સમય દરમિયાન સાચા હૃદયથી ભગવાનની ઉપાસના કરવાથી વ્યક્તિ તેમના વિશેષ આશીર્વાદ મેળવે છે. તેવી જ રીતે, વસંત પંચમીનું શુભ મુહૂર્ત 14 ફેબ્રુઆરીએ સવારે 7:01 વાગ્યાથી શરૂ થશે અને બપોરે 12:35 સુધી ચાલશે. આ સમય દરમિયાન દેવી સરસ્વતીની પૂજા કરવી ખૂબ જ શુભ છે.

વસંત પંચમીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરવું. આ પછી પીળા વસ્ત્રો પહેરવા જોઈએ. માતાને ખાસ કરીને આ રંગ ગમે છે. મંદિરને સાફ કરો અને પાણીનો છંટકાવ કરો. આનાથી વસ્તુઓ શુદ્ધ થઇ જાય છે. હવે માતા સરસ્વતીની મૂર્તિની સ્થાપના કરો. તમે દેવી માતાને પીળા રંગના વસ્ત્રો અર્પણ કરી શકો છો. પીળા રંગની રોલી, પીળા ફૂલ, અક્ષત અને મીઠાઈઓ પણ ચઢાવો અને દીવો પ્રગટાવો. તેનાથી માતા સરસ્વતી પ્રસન્ન થાય છે અને દરેકની મનોકામના પૂર્ણ કરે છે.