ધાર્મિક@ગુજરાત: આ અમાસે પ્રાચીનાં પીપળે પાણી રેડવાનું અનોખું મહત્વ

 આજે શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ અને અમાસ છે. 
 
ધાર્મિક@ગુજરાત: આ અમાસે પ્રાચીનાં પીપળે પાણી રેડવાનું અનોખું મહત્વ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

આજે શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ અને અમાસ છે.ભાદરવી અમાસનાં નામે ઓળખાતી આ અમાસે પ્રાચીનાં પીપળે પાણી રેડવાનું અનોખું મહત્ત્વ છે. લોકો આજે અહીં પિતૃ તર્પણ કરીને પુણ્યનું ભાથું બાંધે છે.પ્રાચી તીર્થમાં આજે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે.

કારણ કે, આજે શ્રાવણ માસનો અંતિમ દિવસ અને ભાદરવી અમાસને લઈને અહી પિતૃ કાર્ય માટે શુભ સ્થળ મનાય છે. કારણ કે, પ્રાચી ગામે ઐતિહાસિક પીપળો આવેલો છે. શ્રીમદ્દ ભાગવતમાં આ પીપળાનું ખાસ મહત્વ વર્ણવેલું છે. આજે ભાદરવી અમાસને લઈને હજારો લોકો પિતૃતર્પણ માટે પ્રાંચી આવ્યા છે.

ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના પિતૃઓના મોક્ષ અર્થે પ્રાચીનાં પીપળે પાણી રેડી પિતૃ તર્પણ કર્યું હતું. ત્યારે કહેવાય છે કે, 'સો વાર કાશી અને એક વાર પ્રાંચી'. સો વખત કાશી વિશ્વનાથનાં દર્શન કરવાથી જે પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તે પુણ્ય અહીં જવાથી થાય છે.આજે મોટી અમાસને લઈને ગુજરાત સહિત દેશ ભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ પ્રાંચી તિર્થે ઉમટી રહ્યા છે. અહીંના મોક્ષ પીપળે પાણી રેડી પિતૃતર્પણ કરીને માધવરાયજીના ભાવ પૂર્વક દર્શન કરી પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે.

પ્રાચીમાં સરસ્વતી નદી પૂર્વ તરફ વહે છે. અહીં આવેલા પવિત્ર કુંડમાં સ્નાન કરવાથી પુણ્યફળ ની પ્રાપ્તિ થાય છે. ભગવાન વિષ્ણુ માધવરાયજી સ્વરૂપે અહીં સાક્ષાત બિરાજે છે. તેમના પૂજન, અર્ચન અને દર્શન કરવાથી મહાલક્ષ્‍મીની કૃપા રહે છે. વ્યાપાર ધંધામાં વૃદ્ધિ થાય છે. નોકરીમાં પદોઉન્નતી મળે છે. અહીં પિતૃતર્પણ કરવાથી ગૃહકલેશ દૂર થાય છે.સામાજિક માન સન્માન અને પ્રતિષ્ઠા વધે છે.