રીપોર્ટ@પંચમહાલ: નર્મદા કેનાલમાં પાણીનું લેવલ ઓછું હોવાથી કિશોર અને ખૂબ નાની વયના બાળકો પણ છલાંગ લગાવતા જોવા મળ્યા

 કેનાલનું સમારકામ ચાલી રહ્યું 
 
રીપોર્ટ@પંચમહાલ:નર્મદા કેનાલમાં પાણીનું લેવલ ઓછું હોવાથી કિશોર અને ખૂબ નાની વયના બાળકો પણ છલાંગ લગાવતા જોવા મળ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

નર્મદા કેનાલમાં જોખમી છલાંગના દૃશ્ય સામે આવ્યા. કેનાલમાં પાણીનું લેવલ ઓછું હોવાથી કિશોર અને ખૂબ નાની વયના બાળકો પણ છલાંગ લગાવતા જોવા મળ્યા છે. કેનાલની ઉપર ચઢીને આ પ્રકારની છલાંગ અનિચ્છનીય ઘટના સર્જી શકે છે. 

 છેલ્લા કેટલાક દિવસોથી કેનાલનું સમારકામ ચાલી રહ્યું છે. જેને લઇ કેનાલમાંથી પાણીનું લેવલ ઘટાડી દેવાયું છે. તો આસપાસના ગામના બાળકો ન્હાવા અને મજા માણવા જોખમી છલાંગ લગાવતા હોય છે. નાનકડી મસ્તી મોટી સજામાં ફેરવાઇ શકે છે. કેનાલમાં પાણીનું લેવલ ઘટાડ્યું છે, પરંતુ હજી પણ કેનાલમાં પાણીનો ધસમસતો પ્રવાહ ચાલુ જ છે. તંત્ર આ બાબતે ધ્યાન દોરે અને કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે પ્રકારે કાર્યવાહી કરવી જરૂરી છે.