રિપોર્ટ@અમદાવાદ: જૈન ગૃહ ઉદ્યોગમાંથી ખરીદેલા અથાણાંમાંથી ગરોળી નિકળી
અથાણાંમાંથી ગરોળી નીકળી
Jun 28, 2024, 18:36 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ખાવાની વસ્તુમાંથી અવાર-નવાર જીવાત નિકળવાની ઘટના સામે આવતી હોય છે. ફરી એકવાર અથાણાંમાંથી એક જીવાત નિકળવાની ઘટના સામે આવી છે. અમદાવાદના જૈન ગૃહ ઉદ્યોગમાંથી ખરીદેલા અથાણાંમાંથી ગરોળી નીકળી.
એક મહિનાથી રોજ આ અથાણું ખાઈ રહેલા પરિવારને ઝાડા ઉલટીની સમસ્યા થઈ હતી..પાછલા 10 દિવસમાં ખાણીપીણીમાંથી જીવજંતું નીકળવાની આ છઠ્ઠી ઘટના છે.