રિપોર્ટ@સુરત: મંદિરમાં ચોરી કરવા આવેલા 2 તસ્કરો રંગેહાથ ઝડપાઈ જતાં સ્થાનિકોએ મેથીપાક ચખાડ્યો
સ્થાનિકોએ મેથીપાક ચખાડ્યો
Jul 30, 2024, 10:17 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ચોરીના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ચોરીના બનાવો સામે આવતા હોય છે. સુરતના પલસાણામાં મંદિરમાં ચોરી કરવા આવેલા 2 તસ્કરો રંગેહાથ ઝડપાઈ જતાં સ્થાનિકોએ મેથીપાક ચખાડ્યો.
પલસાણાના ગાંગપુરમાં આવેલા રામજી મંદિરને બે તસ્કરોએ નિશાન બનાવ્યું હતુ. મોડી રાત્રે ત્રણ વાગ્યાના અરસામાં મંદિરમાં પ્રવેશી ખીખાખોળી કરી રહ્યા હતા તે દરમિયાન સ્થાનિકો જાગી જતા બન્ને તસ્કરોને રંગેહાથ ઝડપી ઢીબી નાખ્યા.
જેનાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તસ્કરોની બરાબરની ધોલાઈ કર્યા બાદ પોલીસને સોંપ્યા હતા.