રિપોર્ટ@ગુજરાત: અગ્નિકાંડ મામલે MLA મેવાણીએ ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા
માછલીને પકડીને સરકાર મગરમચ્છોને બચાવી રહી
Jun 22, 2024, 09:41 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટમાં બનેલી ભયાનક ઘટનામાં કેટલાક લોકોના મોત નીપજ્યા હતા. આ ઘટનાએ લોકોના હૃદય કંપાવી ઉઠ્યા હતા. રાજકોટ અગ્નિકાંડ મામલે MLA મેવાણીએ ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા.
મેવાણી બોલ્યા કે, સાગઠિયા જેવી માછલીને પકડીને સરકાર મગરમચ્છોને બચાવી રહી છે. આખી ઘટનાનું ઠીકરૂ સાગઠિયા પર ફોડીને સરકાર ભાજપના મોટા નેતાઓને બચાવી રહી છે.
ભાજપના પૂર્વ ધારાસભ્યએ જેલમાં સાગઠીયાને મળીને ફોડવાના પ્રયત્નો કર્યા હતા.