રિપોર્ટ@ખેડા: માતરના મહેલજમાં વીજકરંટ લાગતા 3 લોકોનાં મોત નીપજ્યા
3 લોકોનાં મોત નીપજ્યા
Updated: Jul 1, 2024, 07:55 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર મોતની કેટલી ઘટનાઓ સામે આવતી હોય છે. ખેડાના માતરના મહેલજમાં વીજકરંટ લાગતા 3 લોકોનાં મોત થયાની ઘટના ઘટી છે.
ઝરમર વરસાદ વચ્ચે દુકાનનું શટર ખોલવા જતાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણને કાળ ભરખી ગયો છે. આ બનાવ સંદર્ભે માતર પોલીસે અપમૃત્યુની નોંધ કરવા કાર્યવાહી હાથ ધરી છે.