રિપોર્ટ@ગુજરાત: મહેસુલ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના 24 મામલતદાર અને 171 રાજ્યવેરા નિરીક્ષકોની બદલી
171 રાજ્યવેરા નિરીક્ષકોની બદલી
Jul 13, 2024, 09:03 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સરકારી કર્મચારીઓની અવાર-નવાર બદલી થતી હોય છે. મહેસુલ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના મામલતદાર વર્ગ-2 સંવર્ગમાં ફરજ બજાવતા 24 અધિકારીઓની જાહેરહિતમાં બદલી કરી અન્ય જગ્યાએ નિમણુંક આપવામાં આવી છે.
ચાલો એ અધિકારીઓની યાદી તમને બતાવીએ જેમની મામલતદાર વર્ગ-2 સંવર્ગમાંથી અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવી છે.
તો નાયબ મામલતદાર વર્ગ-3 સંવર્ગમાં ફરજ બજાવતા 2 અધિકારીઓને મામલતદાર વર્ગ-2 સંવર્ગમાં હંગામી ધોરણે બઢતી આપવામાં આવી છે.