રિપોર્ટ@ગુજરાત: રાંધણગેસ સિલેન્ડર બ્લાસ્ટની ઘટનામાં ગંભીર ઇજાગ્રસ્ત યુવાનનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું

પરિવારજનો ઉપર આભ તૂટી પડયો હતો.
 
 
રિપોર્ટ@ગુજરાત: રાંધણગેસ સિલેન્ડર બ્લાસ્ટની ઘટનામાં ગંભીર ઇજાગ્રસ્ત યુવાનનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં મોતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી મોતની ઘટના સામે આવતી હોય છે. કલોલ તાલુકાના રામનાથ ગામે રાંધણગેસનો બોટલ બ્લાસ્ટ થયો હતો. જેમાં 22 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર અર્થે નજીકની રેફલર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યાર બાદ વધારે ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓને ગોધરા સિવિલ હોસ્પિટલમા રીફર કરવામાં આવ્યા હતા અને ગંભીર ઇજાગ્રસ્ત ને વડોદરા સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ત્યાર બાદ આજે દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. દુર્ઘટના માં ગંભીર રીતે ઘાયલ અને દાઝી ગયેલા સારવાર માટે વડોદરા ખસેડાયેલા હતા. જેમાં ઇજાગ્રસ્તો પૈકી એકનું દુર્ભાગ્ય પૂર્ણ મોત નીપજ્યું હતું. લાલાભાઈ દામજીભાઈ પરમાર ઉ .વ. 45નું આજે વહેલી સવારે વડોદરા સિવિલ હોસ્પિટલ ખાતે ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. રાંધણગેસ બ્લાસ્ટની ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલ યુવકના મોતને લઈ રામનાથ ગામમાં માતમનો માહોલ સર્જાયો હતો. યુવકના મોત નિપજ્યું હોવાની જાણ કાલોલ પોલીસને થતાં કાલોલ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મૃત્યુ પામેલ યુવાન સમાજસેવક અને સેવાભાવી વ્યક્તિ હતા અને સામાજીક રીતે દરેક કામમાં આગળ રહેતા લાલાભાઈએ આજે વેહલી સવારે વડોદરા ની સયાજી હોસ્પિટલમાં અંતિમ શ્ર્વાસ લીધા હતા. જેથી પરિવારજનો ઉપર આભ તૂટી પડયો હતો.