રીપોર્ટ@દેશ: પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં મળી રહ્યું છે ધાંસૂ વ્યાજ,વધારે માહિતી મેળવો

 પોસ્ટ ઓફિસની આ યોજનામાં વરિષ્ઠ નાગરિકોને 8.2 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
 
રીપોર્ટ@દેશ: પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં મળી રહ્યું છે ધાંસૂ વ્યાજ,વધારે માહિતી મેળવો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

રિટર્નની બાબતમાં પોસ્ટ ઓફિસની સ્કીમ બેંકો કરતા ઘણી આગળ છે. પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ  ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે છે અને તે 8 ટકાથી વધુ વાર્ષિક વ્યાજ આપે છે.જો આપણે તેની તુલના બેંકોની એફડી સાથે કરીએ તો તે બેંકોની એફડી  કરતા પણ વધારે છે.

રોકાણ પર મળે છે સારું વળતર
આ સ્કીમનો મુખ્ય ફાયદો એ છે કે તે વરિષ્ઠ નાગરિકોને સલામત અને નફાકારક રોકાણ વિકલ્પ પૂરો પાડે છે. આમાં રોકાણ પરનું વળતર સ્થિર અને આકર્ષક વ્યાજ છે. આમાં વરિષ્ઠ નાગરિકો સુરક્ષિત રીતે તેમની બચતનું રોકાણ કરી શકે છે અને સારું વળતર મેળવી શકે છે. તેનાથી તેમની આર્થિક સુરક્ષા વધે છે. આમાં રોકાણ માટે વિશેષ જોગવાઈ છે.

શરૂ કરો 1,000 રૂપિયાથી રોકાણ
આ યોજનાનું નામ પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (Post Office SCSS Scheme) છે. જેમાં રોકાણ પર 8 ટકાથી વધુ વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે. આ યોજના નિયમિત આવક અને કર મુક્તિના સંદર્ભમાં પણ સારી છે. આમાં ખાતું ખોલાવીને, તમે ઓછામાં ઓછા 1,000 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો. આ યોજનામાં રોકાણની મહત્તમ મર્યાદા 30 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

તમે જોઈન્ટ એકાઉન્ટ પણ ખોલી શકો છો
નિવૃત્તિ પછી, પોસ્ટ ઓફિસની આ યોજના તમારા માટે ઘણી મદદગાર સાબિત થઈ શકે છે. આમાં 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના કોઈપણ વ્યક્તિ અથવા પતિ/પત્ની સાથે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકાય છે. પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (Post Office Senior Citizen Scheme) માં પાંચ વર્ષ માટે રોકાણની સુવિધા ઉપલબ્ધ છે. જો તમે સમય પહેલા ખાતુ બંધ કરો છો તો નિયમ મુજબ દંડ ભરવો પડશે.

આ કેસોમાં મળે છે છૂટ
જો કોઈ વ્યક્તિ VRS લે છે તો તે વ્યક્તિ 60 વર્ષની ઉંમર પહેલા પણ ખાતું ખોલાવી શકે છે. ડિફેંસમાંથી નિવૃત કર્મચારીઓ પાસે 50 વર્ષથી વધુ ઉંમરના અને 60 વર્ષથી ઓછી ઉંમરના લોકો પાસે રોકાણ કરવાનો વિકલ્પ છે. જો કે આ માટે કેટલીક શરતો મુકવામાં આવી છે. પોસ્ટ ઓફિસની આ યોજનામાં વરિષ્ઠ નાગરિકોને 8.2 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે.

બેંક વ્યાજ
તમને જણાવી દઈએ કે દેશની વિવિધ બેંકો વરિષ્ઠ નાગરિકોને 5 વર્ષની FD પર 7 થી 7.75 ટકા વ્યાજ આપી રહી છે. દેશની સૌથી મોટી સરકારી બેંક SBI વરિષ્ઠ નાગરિકોને પાંચ વર્ષની FD પર 7.50 ટકા વાર્ષિક વ્યાજ આપી રહી છે, ICICI Bank 7.50 ટકા, PNB 7 ટકા અને HDFC Bank 7.50 ટકા વાર્ષિક વ્યાજ આપી રહી છે.

ટેક્સમાં છૂટનો લાભ
પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં ખાતાધારકને ટેક્સમાં છૂટનો લાભ પણ મળે છે. SCSSમાં રોકાણ કરનાર વ્યક્તિને આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક કર મુક્તિ આપવામાં આવે છે. આ યોજનામાં દર ત્રણ મહિને વ્યાજની રકમ ચૂકવવાની જોગવાઈ છે. આ વ્યાજ દર એપ્રિલ, જુલાઈ, ઓક્ટોબર અને જાન્યુઆરી મહિનાની પહેલી તારીખે કરવામાં આવે છે. જો ખાતાધારક પાકતી મુદત પૂરી થયા પહેલા મૃત્યુ પામે છે, તો ખાતું બંધ કરી દેવામાં આવે છે અને દસ્તાવેજોમાં ઉલ્લેખિત નોમિનીને સંપૂર્ણ રકમ સોંપવામાં આવે છે.