રિપોર્ટ@સાબરકાંઠા: પર્યાવરણ પ્રેમીઓએ 12 હજારથી વધુ રોપાનું વાવેતર કર્યું
"મહાવાવેતર' અભિયાન યોજાયું હતું.
Aug 21, 2024, 09:06 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સાબરકાંઠા જિલ્લામાં આજે ઈડરના શ્રીમદ રાજચંન્દ્ર વિહાર નજીકના જંગલ વિસ્તારમાં કેબિનેટ મંત્રી વન અને પર્યાવરણ મુળુભાઈ બેરા અને રાજ્યકક્ષા મંત્રી વન અને પર્યાવરણ મુકેશભાઈ પટેલ, સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ શોભનાબેન બારૈયા તેમજ જિલ્લાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં "મહાવાવેતર' અભિયાન યોજાયું હતું.
જેનો ડ્રોન નજારો સામે આવ્યો છે. 10 હજાર પર્યાવરણ પ્રેમીઓએ 12 હજારથી વધુ રોપાનું વાવેતર કર્યું હતું.