રિપોર્ટ@સુરેન્દ્રનગર: ઘઉંની ખરીદીની નોંધણીની મુદ્દત 5 એપ્રિલ 2025 સુધી લંબાવવામાં આવી

ઘઉંનો લઘુત્તમ ટેકાના ભાવ 2,425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કર્યો છે.
 
રિપોર્ટ@સુરેન્દ્રનગર: ઘઉંની ખરીદીની નોંધણીની મુદ્દત 5 એપ્રિલ 2025 સુધી લંબાવવામાં આવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રવિ માર્કેટિંગ સીઝન 2025-26 માટે ઘઉંની ખરીદીની નોંધણીની મુદ્દત 5 એપ્રિલ 2025 સુધી લંબાવવામાં આવી છે. ભારત સરકારે ઘઉંનો લઘુત્તમ ટેકાના ભાવ 2,425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કર્યો છે. રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કર્યું છે. ખરીદીની પ્રક્રિયા 17 માર્ચ 2025થી શરૂ થઈ છે.

ખેડૂતોએ નોંધણી માટે ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. નોંધણી માટે આધાર કાર્ડ, અદ્યતન 7/12 અને 8અ, બેંક પાસબુકની નકલ જેવા દસ્તાવેજો જરૂરી છે. વાવણીની એન્ટ્રી ન હોય તો તલાટીનો દાખલો માન્ય રહેશે. નોંધણી કરાવનાર ખેડૂતોને SMS દ્વારા ખરીદી અંગે જાણ કરવામાં આવશે.

ખરીદી સમયે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ફરજિયાત છે. ખોટા દસ્તાવેજો રજૂ કરનાર ખેડૂતોની નોંધણી રદ કરવામાં આવશે. કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઈન નંબર 8511171718 અને 8511171719 પર સંપર્ક કરી શકાય છે. સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ખેડૂતોને નોંધણી કરાવવા અપીલ કરવામાં આવી છે.