રિપોર્ટ@ગુજરાત: લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ચૂંટણી લડશે એવો સ્પષ્ટ સંકેત આપ્યો

સ્નેહ સંવાદ કાર્યક્રમનું આયોજન
 
રિપોર્ટ@ગુજરાત: લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ચૂંટણી લડશે એવો સ્પષ્ટ સંકેત આપ્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે થોડાજ દિવસો બાકી રહ્યા છે ચૂંટણીના. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા રાજકોટથી જ ચૂંટણી લડશે એવો સ્પષ્ટ સંકેત ખુદ પુરુષોત્તમ રૂપાલા એ જ આપી દીધો છે. રાજકોટ રહેતા અમરેલીના લોકો સાથે એક સ્નેહ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પુરુષોત્તમ રૂપાલાએ પોતાના મંતવ્ય શરૂ કરતા સાથે પહેલા જ જણાવ્યું હતું કે, હવે પછી બે વખત તમારે આવવાનું છે એક હું ફોર્મ ભરવા જાવ ત્યારે અને મતદાનના દિવસે. આ નિવેદન ઉપરથી આ વાત સ્પષ્ટ સંકેત આપવામાં આવી રહ્યો છે કે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા જ રહેશે.


રાજકોટના નવા 150 ફૂટ રિંગરોડ પર ટીલાળા ચોક નજીક આવેલ ક્રિષ્ના ગૌશાળા ખાતે એક કાર્યક્રમનું આયોજન અંબરીશ ડેરની આગેવાનીમાં અમરેલી જિલ્લાની યુવા ભાજપની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. મૂળ અમરેલીના અને રાજકોટમાં વસતા લોકો સાથે સ્નેહ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મૂળ અમરેલીના અને રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા.


રાજકોટના લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, આજે મારે આમ તો તમને બધાને વધુ કઈ કેવાની જરૂર નથી પણ એક વાત ખાસ કહું છું. બે દિવસ તમારે બધાએ ફરજિયાત આવવાનું છે. એક હું તમને સમય આપીશ એક-બે દિવસમા ફોર્મ ભરવાની તારીખ નક્કી કરીને આપીશ ત્યારે પાઘડી બાંધી તમારે બધાને આવવાનું છે. પાઘડી બાંધવાનો મતલબ એટલે કે જાનૈયા બનીને તમારે બધાએ આવવાનું છે. અને આ પછી બીજી વખત મતદાનની તારીખ આવે ત્યારે સાગમટે આવવાનું છે.


વધુમાં તેમને જણાવ્યું હતું કે, મારી ઉપર ઈશ્વરીયા મહાદેવની કૃપા છે કે અંબરીશ ડેર મને મદદે આવ્યો એનાથી મોટી ભગવાનની કૃપા હોય ન શકે. અમરેલીથી પાણીની સમસ્યા કારણે જ મોટાભાગ લોકો અહીં રાજકોટ આવ્યા હશે. હું અમરેલીમાં ચીફ ઓફીસર હતો ત્યારે 15 દિવસે 15 મિનિટ પાણી વિતરણ થતું. કોંગ્રેસની સરકાર હતી ત્યારે ડંકીના દાર મંજૂર કરતા અને ટેન્કરો ફાળવતા આ જ ઉપાય હતો. માંગ્યા વિના મા પણ ન પીરસે પરંતુ, માંગ્યા વિના આપે એ નરેન્દ્ર મોદી. મોદીએ 24 કલાક વીજળી આપી, નર્મદાનું પાણી આપ્યું, આરોગ્ય ક્ષેત્રે 108 સુવિધા આપી.

રશિયા-યુક્રેન યુધ્ધ સમયે 22,000 દીકરા - દીકરીઓને બચાવી ભારત લઇ આવ્યા ત્યારે એક દીકરાએ મને કહ્યું કે, ઘરેથી બહાર નીકળો ત્યારે ત્રિરંગો લઇને બહાર નીકળજો એવી સૂચના અમને આપવામાં આવી હતી. આ ભારતનો વટ પડી ગયો કહેવાય અને વટવાળાની સાથે હમેશા રહેવાય માટે તમે અહિં મને મત આપો તે સ્વાભાવિક છે પણ ભાજપને મતદાન કરવા બધાને અપીલ કરજો.


કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા અંબરીશ ડેર દ્વારા અમરેલી જિલ્લાના 8 આગેવાનો સાથે મળી સ્નેહ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંબરીશ ડેરે જણાવ્યું હતું કે, રાજકોટ અને અમરેલીનો એકબીજાનો જૂનો નાતો છે. રાજકોટમાં પાણીની સમસ્યા હતી ત્યારે અમરેલીએ ટ્રેન મારફત પાણી પહોચાડ્યું હતું અને તોકતે વાવાઝોડા દરમિયાન રાજકોટ અમરેલીની મદદે આવ્યું હતું. રાજકોટમાં પાણીની તકલીફ પૂરી કરવા રાજુલા તાલુકા ધાતરવડી ડેમ ખાતેથી પાણી ભરીને ટ્રેન મારફતે પાણી પહોંચાડ્યું હતું. એટલે બધાને અપીલ કરું છું કે પુરુષોત્તમ રૂપાલાને મત આપજો અને આસપાસના લોકોને પણ ભાજપના ઉમેદવારને મત આપવા અપીલ કરજો.