દુર્ઘટના@વડોદરા: પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો

 આગે વિકરાળ સ્વરૂપ લીધું

 
 દુર્ઘટના@વડોદરા: પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં આગ લાગવાની ઘટનાઓ ખુબજ વધી ગઈ. રોજ કોઈને કોઈ જગ્યાએથી આગની ભયાનક દુર્ધટનાઓ સામે  આવતી હોય છે.  વડોદરાના જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર જીઆઈડીસીમાં ગત મોડીરાત્રે આગનો બનવા સામે આવ્યો હતો. આ આગ પ્લાસ્ટિક કંપનીમાં લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્લાસ્ટિકની કંપનીમાં આગ લાગતા આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આગના બનાવ અંગે ફાયર વિભાગની જાણ કરતા ત્રણ ફાયર સ્ટેશનની ચાર ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર ભારે જહેમત બાદ કાબૂ મેળવી હાલમાં કુલિંગની કાર્યવાહી કાર્યવાહી ચાલી રહી છે.

સાવલી જીઆઇડીસીમાં અવારનવાર આગના બનાવો સામે આવતા હોય છે. ગતરાત્રે 11:30 કલાકે ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે, કે.બી. પ્લાસ્ટિક નામની કંપનીમાં ભીષણ આગ લાગી છે. આ કોલ મળતા જ ઇઆરસી ફાયર સાથે ટીપી 13 અને દાંડિયાબજાર ફાયર સ્ટેશનની ટીમો ચાર ગાડીઓ સાથે પહોંચી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. આગ પ્રચંડ હોવાથી ફાયર વિભાગને ભારે જહેમત બાદ વહેલી સવારે આગ પર કાબૂ મેળવ્યો હતો અને હાલમાં કુલિંગની પ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે.

પ્રાથમિક માહિતી મુજબ, આ કંપનીમાં પ્લાસ્ટિકનો વિવિધ સ્ક્રેપ પડેલો હતો અને તેમાંથી દાણા બનાવતી હોવાનું જાણવા મળી રહ્યું છે. આગના બનાવને લઈ કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ કંપનીનો સંપૂર્ણ શેડ બળીને ખાક થઈ ગયો છે અને કંપનનીને મોટાપાયે નુકસાન થયું હોય તેવું જાણવા મળ્યું છે. આ પ્લાસ્ટિક કંપનીમાં આગ હોવાથી ફાયરની ટીમને ભારે જહેમત ઉઠાવવી પડી છે.

આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. ઘટનાસ્થળે રાત્રિનો સમય હોવાથી ફાયરને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હજુ પણ કુલિંગની પ્રક્રિયા ચાલુ છે અને ત્યારબાદ જ આગ કયાં કારણોસર લાગી અને કેટલું નુકસાન થયું છે તે જાણી શકાશે.

આ પ્લાસ્ટિક કંપનીમાં આગ હોવાથી ફાયરની ટીમને ભારે જહેમત ઉઠાવવી પડી છે. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. ઘટનાસ્થળે રાત્રિનો સમય હોવાથી ફાયરને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હજુ પણ કુલિંગની પ્રક્રિયા ચાલુ છે અને ત્યારબાદ જ આગ કયાં કારણોસર લાગી અને કેટલું નુકસાન થયું છે તે જાણી શકાશે.