દુર્ઘટના@ગુજરાત: ન્હાવા પડ્યા બાદ મચી ગઇ ભાગદોડ, ડૂબી જતાં 5 વ્યક્તિના મોતથી હાહાકાર

જામનગરના સપડા ડેમમાં એક સાથે પાંચ વ્યક્તિના ડૂબી જવાથી મોત થયાનું સામે આવ્યું છે.
 
દુર્ઘટના@ગુજરાત: ન્હાવા પડ્યા બાદ મચી ગઇ ભાગદોડ, ડૂબી જતાં 5 વ્યક્તિના મોતથી હાહાકાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

ચોમાસાની સિઝનમાં લોકો જળાશયોનો બહુજ પ્રવાસ કરે છે.લોકો જળસંગ્રહના સ્થળે ફરવા જય છે,અને એમાં નહાવા પડે છે.જેના કારણે ના બનવાની ઘટનાઓ બનતી હોય છે.લોકોને સાવધાન રહેવાની જરૂર છે.સાચવેતી રાખવી જોઈએ.ડેમ,તળાવ,નદી,દરિયો જેવા જળસંગ્રહના સ્થળે મજા કરતા અમુક વાર તે ખુબજ દુ:ખદ બની જાય છે.લોકો પાણીમાં ડૂબી જાય છે,કાતો તણાઈ જાય છે અથવા તો  લોકો મુત્યુ પામે છે.આવીજ એક ઘટના જામનગરમાં બની છે,ડેમમાં નહાવા પડવાથી ડૂબી જતા મોત નિપજ્યું  હોવાનું સામે આવ્યું છે.જામનગરના સપડા ડેમમાં એક સાથે પાંચ વ્યક્તિના ડૂબી જવાથી મોત થયાનું સામે આવ્યું છે. સપડા ડેમમાં બે પરિવારના પાંચ સભ્યો નહાવા પડ્યા હતા અને ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ફાયર બ્રિગેડ, 108 અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઇ પાંચેય મૃતદેહ બહાર કાઢીને પી.એમ.અર્થે ખસેડાયા હતા.જામનગર શહેરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ગજાનંદ પ્રોવિઝન સ્ટોર ચલાવતા મહેશભાઈ કારાભાઈ મંગે (કચ્છી, ભાનુશાળી)એ થોડા દિવસો પહેલાં કાર લીધી હતી. મહેશભાઈ પત્ની લીનાબેન, પુત્ર સિદ્ધ અને બે પાડોશી સાથે સપડા ડેમ ફરવા ગયા હતા. આ પાંચેય લોકો ડેમમાં નહાવા પડ્યા હતા. આ સમયે ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતા પાંચેય મોતને ભેટ્યા હતા. આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ, 108 અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બચાવ કામગીરી શરુ કરી હતી. ફાયર વિભાગે પાંચેય લોકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. જેમાં એક જ પરિવારના ત્રણ સભ્ય મહેશભાઈ કારાભાઈ મંગે (ઉ.૪૪), લીનાબેન મહેશભાઈ મંગે (ઉ.૪૧) તથા તેમનો પુત્ર સિદ્ધ મહેશભાઈ મંગે (ઉ. ૨૦) ઉપરાંત પાડોશી પરિવારના માતા-પુત્રમાં માતા અનિતાબેન વિનોદભાઈ દામા (ઉ.૪૦) અને ધોરણ-10માં ભણતા પુત્ર રાહુલ વિનોદભાઈ દામા (ઉ.૧૭)નો સમાવેશ થાય છે.ઇજનેરીનો અભ્યાસ કરતો પુત્ર સિદ્ધ રજા હોવાથી મહેસાણાથી ઘરે આવ્યો હતોમહેસાણા ખાતે એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો સિદ્ધ મહેશભાઇ મંગે રજા હોવાથી ગઇકાલે જ મહેસાણાથી જામનગર આવ્યો હતો. આજે રજા હોવાથી પરિવાર સાથે નજીકમાં જ આવેલા સપડા ડેમ ખાતે ફરવા ગયો હતો. જ્યાં ડૂબી જતાં મોતને ભેટ્યો છે.