અપડેટ@છોટાઉદેપુર: મધ્યાહન ભોજનમાં ઉપયોગમાં લેવાતા અનાજમાં મોટા પાયે જીવાત જોવા મળતા વિવાદ સર્જાયો
અધિકારીએ સમગ્ર મામલે તપાસની ખાતરી આપી
Oct 17, 2023, 19:43 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મધ્યાહન ભોજન યોજના વારંવાર કોઇને કોઇ વિવાદમાં રહે છે. ત્યારે હવે ફરી એક વખત મધ્યાહન ભોજનની ગુણવત્તાને અનેક સવાલો લઇને ઉઠ્યા છે. છોટાઉદેપુરની પ્રાથમિક શાળા નંબર-2માં મધ્યાહન ભોજનમાં ઉપયોગમાં લેવાતા અનાજમાં મોટા પાયે જીવાત જોવા મળતા વિવાદ સર્જાયો છે. મધ્યાહન ભોજન માટેના ઘઉં અને ચોખામાં એટલા મોટા પાયે જીવાત જોવા મળી કે તે અનાજ બિલકુલ ઉપયોગમાં લઇ શકાય તેમ રહ્યું નહોતુ.
બાળકો દ્વારા ભોજન અંગે કરાતી વારંવારની ફરિયાદો બાદ વાલીઓ શાળામાં પહોંચ્યા અને જાતે ગુણવત્તા ચકાસી હતી. પરંતુ આ દરમિયાન અનાજમાં જીવાત જોવા મળતા રોષે ભરાયેલા વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.