અપડેટ@વડોદરા: ખાદ્યતેલના વિવિધ બ્રાંડના નમૂનાને પરીક્ષણ અર્થે લેબમાં મોકલવામાં આવ્યા

ભેળસેળિયા તત્વો સામે કાર્યવાહી 
 
અપડેટ@વડોદરા: ખાદ્યતેલના વિવિધ બ્રાંડના નમૂનાને પરીક્ષણ અર્થે લેબમાં મોકલવામાં આવ્યા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

તહેવારો પૂર્વે વડોદરાના આરોગ્ય વિભાગે ખાદ્યતેલના વેપારીઓ પર દરોડા પાડ્યા છે. ફૂડ વિભાગે બરાનપુરા, ચોખંડી, હાથીખાનામાં ખાદ્યતેલના વેપારીઓ પાસેથી નમૂના લીધા છે. ખાદ્યતેલના વિવિધ બ્રાંડના નમૂનાને પરીક્ષણ અર્થે લેબમાં મોકલવામાં આવ્યા છે. 

લેબનો રિપોર્ટ 14 દિવસે આવ્યા બાદ ભેળસેળિયા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવશે. જો કે, ત્યાં સુધીમાં તો વડોદરાવાસીઓ લાખો રૂપિયાના ફાફડા-જલેબી આરોગી ચુક્યા હશે. જો ફૂડ વિભાગે ભેળસેળ પર અંકુશ લાવવો હોય તો ત્વરિત રિપોર્ટ આવે અને પગલા લેવાય તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.