ઘટના@અમદાવાદ: યુવકે રિવોલ્વરમાં ગોળીઓ ભરી પોતાના જ લમણાં પર રાખી, પછી જે થયું એ જાણીને ચોકી જશો

મજાકમાં જ ફાયરિંગ થયું છે
 
ઘટના@અમદાવાદ: યુવકે રિવોલ્વરમાં ગોળીઓ ભરી પોતાના જ લમણાં પર રાખી, પછી જે થયું એ જાણીને ચોકી જશો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલાક બનાવો સામે આવતા હોય છે.  વેજલપુરમાં એક યુવકને પોતાની લાઇસન્સવાળી રિવોલ્વરથી મજાક કરવું ભારે પડ્યું હતું. યુવકે રિવોલ્વરમાં ગોળીઓ ભરી પોતાના જ લમણાં પર રાખી મજાક કરતી વખતે ફાયરિંગ થયું કર્યું અને મોત મળ્યું. જે સમયે ઘટના બની ત્યારે યુવકની સાથે તેની સ્ત્રી મિત્ર અને ડ્રાઈવર પણ હાજર હતા. ત્યારે વેજલપુર પોલીસે પ્રાથમિક તપાસ કરતા મૃતક યુવક મોટાપાયે ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતો હોવાનું સામે આવ્યું છે.

હાલ તો પોલીસે સમગ્ર ઘટના મામલે ખરેખર મજાકમાં જ ફાયરિંગ થયું છે કે અન્ય કોઈ કારણસર થયું તે બાબતે તપાસ શરૂ કરી છે.

વિભાવરી પાર્ટ-1માં રહેતો દિગ્વિજયસિંહ ઉર્ફે ભોલો રાજપૂત (ઉ.36) જમીન દલાલીનું કામ કરતો હતો. રવિવારે રાત્રે દિગ્વિજયસિંહ તેના ડ્રાઇવર સત્યદીપ વૈદ્ય અને મહિલા મિત્ર ખુશી ગોસ્વામી સાથે રૂપેશ સોસાયટીમાં તેના નવનિર્મિત બંગલામાં હતા. ત્યારે મજાક મજાકમાં અને નશામાં રહેલા દિગ્વિજયસિંહે પોતાની રિવોલ્વરમાં ગોળીઓ ભરી પોતાના જ લમણા ઉપર રાખી હતી. જેમાંથી ફાયર થતાં દિગ્વિજયસિંહનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક રૂપેશ સોસાયટીમાં પહોંચી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દિગ્વિજયસિંહ ઉર્ફે ભોલો રાજપૂતે પોતાની જ લાયસન્સવાળી રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું. જેમાંથી ફાયર થયેલી એક ગોળી દિગ્વિજયસિંહને માથાના ભાગે લાગતા તેનું મોત થયું હતું. મૃતક જમીન દલાલીના કામની સાથે ચંદીગઢમાં બોગસ કોલ સેન્ટર ચલાવતો હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.

પોતાના જ લમણા ઉપર રાખી ટ્રીગર દબાવી ફાયરિંગ કરતો હતો

પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે દિગ્વિજયસિંહ તેના ડ્રાઇવર સત્યદીપ વૈદ્ય અને મહિલા મિત્ર ખુશી ગોસ્વામી સાથે રાત્રે નવનિર્મિત બંગલામાં બેઠા હતા. ત્યારે દિગ્વિજયસિંહ દારૂના નશામાં હતો. તેણે પોતાની લાઇસન્સવાળી રિવોલ્વરમાં ત્રણ કાર્ટિસ ભરી હતી. તે મજાક કરતો હતો અને રિવોલ્વર પોતાના જ લમણા ઉપર રાખી ટ્રીગર દબાવી ફાયરિંગ કરતો હતો. રિવોલ્વરમાં ત્રણ કાર્ટિસ ભર્યા હતા જેથી અન્ય ત્રણ કાર્ટિસની જગ્યા ખાલી હતી. જ્યાં તેમણે બે વખત ટ્રિગર દબાવ્યું અને તે મજાક કરતો હતો કે ટ્રિગર દબાવવાથી કંઈ થાય નહીં. પરંતુ ત્રીજી વાર જ્યારે દિગ્વિજયસિંહે ફાયરિંગ કર્યું ત્યારે તેમાંથી ગોળી ફાયર થઈ હતી અને તેમાં તેનું મોત નીપજ્યું હતું.

વેજલપુર પોલીસ તેમજ FSLની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતક દિગ્વિજયસિંહના ડ્રાઇવરનું નિવેદન નોંધ્યું હતું. જેમાં દિગ્વિજયસિંહ દારૂ પીવાની ટેવ વાળા હતા તેવો ઉલ્લેખ પણ કરાયો છે. ગતરાત્રીએ જ્યારે બનાવ બન્યો ત્યારે પણ દિગ્વિજયસિંહ નશો કરેલી હાલતમાં હોવાની શક્યતાને લઈને પોલીસ તપાસ કરી છે. FSL દ્વારા પણ હથિયાર તેમજ અન્ય મુદ્દાઓ પર તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે પોલીસ ખરેખર સમગ્ર ઘટના નશાની હાલતમાં હોવાથી મજાક કરવામાં બની છે કે પછી આ ઘટના પાછળ કોઇ સામેલ છે તે અંગે પણ પોલીસ હવે તપાસ કરી રહી છે.

ચંદીગઢમાં મોટાપાયે કોલસેન્ટર, ગુજરાતી ફિલ્મમાં રોકાણ કર્યું હતું

દિગ્વિજયસિંહ ખૂબ નામચીન વ્યક્તિ છે. વર્ષ 2013ની આસપાસથી તે બોગસ કોલસેન્ટરના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. અગાઉ તેનું નામ પોલીસ ચોપડે નોંધાયેલું છે. તેનું જીવરાજપાર્કમાં એક પાન પાર્લર છે. તેણે થોડા સમય પહેલા એક ગુજરાતી ફિલ્મમાં રોકાણ પણ કર્યું હોવાની ચર્ચા છે. દિગ્વિજયસિંહ કોલ સેન્ટરના ધંધામાં કરોડો રૂપિયા કમાઇ ચૂક્યો છે. હાલ તે ચંદીગઢમાં દસ દસ લાખમાં આઠેક ઓફિસ ભાડે રાખીને મોટાપાયે બોગસ કોલ સેન્ટર ચલાવે છે. કરોડો રૂપિયા તો તે ચંદીગઢ પોલીસને હપ્તો આપતો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.