રિપોર્ટ@સુરત: 38 ગ્રામ રોઝ ગોલ્ડની વીંટી પર આબેહૂબ રામમંદિરની પ્રતિકૃતિ, જાણો શું છે ભાવ ?

 
Gold

અટલ સમાચાર, ડેસ્ક

સુરત સહિત સમગ્ર દેશમાં હાલ રામોત્સવ ચાલી રહ્યો છે. અયોધ્યામાં થનારી રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાને લઈને લોકો પોત પોતાની રીતે ઉજવણી કરી રહ્યા છે. ત્યારે એક જ્વેલર્સ દ્વારા રોઝ ગોલ્ડની વીંટી બનાવવામાં આવી છે. જેના પર અયોધ્યાના રામમંદિરની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. આ વીંટી બનાવવામાં બે કારીગરોને એક અઠવાડિયાનો સમય લાગ્યો હતો.

સુરતના જવેલરી મેન્યુફેક્ચરર્સે 38 ગ્રામ રોઝ ગોલ્ડની વીંટી પર રામ મંદિર બનાવ્યું છે. 22 મીએ બેંગ્લુરુ, ચેન્નાઇ અને મુંબઈના જ્વેલર્સ એક સાથે સુરતમાં બનેલી રામ મંદિરની સોનાની વીંટી લોંચ કરશે. રોઝ ગોલ્ડ વિટીના ઉપરના ભાગમાં રામ મંદિર બનાવવામાં આવ્યું છે. કારીગરોને આ વીંટી બનાવવામાં એક સપ્તાહનો સમય લાગ્યો હતો. અંતે બન્ને કારીગરોની મહેનત રંગ લાવી હતી. વીંટીની કિમત 1.25 લાખથી 3 લાખ સુધીની છે. પ્રારંભમાં જવેલર્સ દ્વારા 178 નંગ વીંટીનાં ઓર્ડર મળ્યાં હતાં. હાલ રામ મંદિરની વીંટી પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.