રિપોર્ટ@ગુજરાત: અમદાવાદમાં યોજાનાર ભારત-પાકિસ્તાન વર્લ્ડકપ મેચને લઈ ટ્રેનોમાં વેઇટિંગ

 
Ahemdabad Railway Station

અટલ સમાચાર, ડેસ્ક

સામાન્ય રીતે દિવાળીમાં તહેવારોમાં અમદાવાદ માટે ટ્રેનનું લાંબુ વેઇટિંગ જોવા મળે છે પરંતુ 13-14 ઓક્ટોબરના કોઇ તહેવાર નહીં હોવા છતાં અમદાવાદ આવવા માટે મોટાભાગની ટ્રેનમાં વેઇટિંગ લિસ્ટ સતત વધી રહ્યું છે. 14 ઓક્ટોબરે અમદાવાદમાં ભારત-પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપનો મહામુકાબલો યોજાવાનો છે જેને કારણે ટ્રેનની ટિકિટમાં લાંબુ વેઇટિંગ જોવા મળી રહ્યું છે.

અમદાવાદમાં ભારત-પાકિસ્તાન વચ્ચેના વર્લ્ડકપનો મહામુકાબલાને હવે 3 અઠવાડિયાનો સમય બાકી છે. આ પહેલા અમદાવાદમાં આવવા માટેની ટ્રેનનું વેઇટિંગ પણ હવે 100ને પાર થઇ ગયું છે. 14 ઓક્ટોબર શનિવારના ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો રમાવાનો છે. આ પહેલા 13 ઓક્ટોબરે દિલ્હી-અમદાવાદની રાજધાનીના એસી થ્રી ટીયરમાં 74, એસી ટુ ટીયરમાં 68નું વેઇટિંગ છે જ્યારે એસી ફર્સ્ટ ક્લાસમાં તમામ ટિકિટ વેચાઇ ગયા પછી હવે રીઝર્વેશન શક્ય નહીં હોવાથી રીગ્રેટ દર્શાવવામાં આવી રહ્યું છે.

આશ્રમ એક્સપ્રેસમાં સ્લીપરમાં 41, એસી ઇકોનોમીમાં 18, એસી થ્રી ટીયરમાં 39-એસી ટુ ટીયરમાં 29-એસી ફર્સ્ટ ક્લાસમાં 20, યોગા એક્સપ્રેસમાં સ્લિપરમાં 112, એસી થ્રી ટીયરમાં 66-એસી ટુ ટીયરમાં 23-એસી ફર્સ્ટ ક્લાસમાં 9નું વેઇટિંગ છે. આવી જ સ્થિતિ મુંબઇ, બેંગાલુરૂ, કોલકાતા, ચેન્નાઇથી આવતી ટ્રેનમાં છે. મુંબઇ-અમદાવાદ વંદે ભારત એસી ચેર કારમાં 38-એક્ઝિક્યુટિવ ચેર કારમાં 44 જ્યારે 14 ઓક્ટોબરના એસી ચેર કારમાં 191-એક્ઝિક્યુટિવ ચેર કારમાં 80નું વેઇટિંગ છે. મુંબઇ-અમદાવાદની શતાબ્દિ એક્સપ્રેસમાં 14 ઓક્ટોબરે એસી ચેર કારમાં , એક્ઝિક્યુટિવ ચેર કારમાં 23, વિસ્ટાડોમમાં 18 જેટલું વેઇટિંગ છે. આ ઉપરાંત ચેન્નાઇથી આવતી નવજીવન ટ્રેન માટે ટ્રેનનું વેઇટિંગ 64 થઇ ગયું છે. જયપુર-અમદાવાદ માટે ટ્રેનનું વેઇટિંગ 70 છે. આવી જ સ્થિતિ અમદાવાદ આવવા માટેની ફ્લાઇટમાં છે, જેમાં કોલકાતા-ચેન્નાઇ-બેંગાલુરૂથી અમદાવાદ આવવા માટેનું એરફેર રૂપિયા 30 હજારને પાર થઇ ગયું છે.