બ્રેકિંગ@ગુજરાત: મોચા વાવાઝોડાની રાજ્યમાં શું થશે અસર ? હવામાનની મોટી આગાહી

 
Manorama Mohanti havaman

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં કાળઝાળ ગરમીનો અનુભવાઇ રહી છે, ત્યારે હવામાન વિભાગની ગરમીને લઇને નવી આગાહી સામે આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ રાજ્યમાં ગરમીની સ્થિતિ અને આવનાર સમયમાં પારો કેટલા ડિગ્રી સુધી ઉચકાશે તેને લઇને માહિતી આપી છે. તેમના જણાવ્યા અનુસાર આગાહી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે. આગામી પાંચ દિવસ ત્રણ ડિગ્રી સુધી તાપમાન વધશે. સાથે જ તેમણે રાજ્યમાં ક્યારે યલો અને ઓરેન્જ એલર્ટ રહેશે તથા મોચા વાવાઝોડાની ગુજરાતના વાતાવરણમાં પર શું અસર થવાની છે તેની પણ માહિતી આપી છે.

સૌપ્રથમ ગુજરાતમાં ગરમીની વાત કરતાં હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, થોડા કેટલાક સમયથી વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહેવાથી રાજ્યમાં તાપમાન ઓછું રહ્યું હતું. પરંતુ હવે વાદળ વિખરાઇ રહ્યા છે. માત્ર અમુક જ જગ્યાએ એકાદ અઠવાડિયા સુધી વાદળ રહેશે. તેથી તાપામાન વધવાની શક્યતા છે. મોચા વાવાઝોડીની ગુજરાત પર અસર વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે, હાલ વાવાઝોડાની કોઇ અસર ગુજરાત પર નથી. હાલ પૂરતું વાતાવરણ સૂકું રહેવાની પ્રબળ સંભાવના છે. સાથે જ વરસાદ ન થવાની પણ સંભાવના છે.

મનોરમા મોહંતીએ જણાવ્યું કે, હાલ મોચા વાવાઝોડાની અસર પશ્ચિમ બંગાળ પર છે. જોકે, બની શકે કે તેની અસરને લીધે બે-ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે. અત્યાર સુધી ગરમી કરતાં આપણું સામાન્ય તાપમાન નીચું જ રહ્યું છે. સામાન્ય રીતે મે મહિનામાં ગુજરાતનું તાપમાન ઉંચું જતું જ હોય છે.અમદાવાદમાં આકાશી અગન ગોળા વરસી શકે છે. અમદાવાદમાં આજે અને કાલે બે દિવસ યલો એલર્ટ રહેશે. અમદાવાદમાં 10, 12 મેએ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદમાં 12મીએ ફરી યલો એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જઈ શકે છે.