ઘટસ્ફોટ@ગોધરા: જુવાનજોધ દિકરી અને પિતાની આત્મહત્યા 2 ઇસમોના ત્રાસથી થઈ, ગુનો દાખલ

 
Godhra

અટલ સમાચાર, ડેસ્ક 

ગોધરા પંથકમાં ગત 18 ફેબ્રુઆરીએ તળાવમાં ડૂબી જવાથી પિતા પુત્રીના મોત મામલે હવે નવો અને ચોંકાવી દે તેવો વળાંક આવ્યો છે. વિગતો મુજબ પહેલા તળાવમાં 

ડૂબી જવાથી મોત થયું હોવાનું સામે આવ્યા બાદ હવે બે ઈસમો એ તેમને ધમકી અને માનસિક ત્રાસ આપી મારવા માટે મજબૂર કર્યા હોવાનું ખુલતા હડકંપ મચી ગયો છે. આ તરફ હવે આ કેસમાં નવા ઘટસ્ફોટ બાદ હવે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે 2 ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ગોધરા તાલુકાના ભામૈયા પશ્ર્ચિમ ગામે તા.18 ફેબ્રુઆરીના રોજ ગામના તળાવમાં પિતા-પુત્રીનુ ડુબી જવાથી મોત થયું હોવાનું સામે આવ્યું હતું. જોકે આપને ત્યાં કહેવત છે તેમ કે જૂઠ બહુ સમય સુધી સંતાયેલ રહેતું નથી. બસ એજ રીતે આ કેસમાં પણ બન્યું. આ કેસની વિગત જોઈએ તો બળવંતસિંહ ઠાકોર અને તેમની પુત્રીપ્રજ્ઞાબેન સાથે તળાવમાં પુજાપો પધરાવવા જતાં અકસ્માતે પુત્રી ડુબતી હોય તેને બચાવવા જતાં પિતા બળવંતસિંહઠાકોર અને પુત્રી બંનેનુ મોત થયા હોવાની અકસ્માત મોતની ફરિયાદ નોંધાઇ હતી.

આ તરફ ભામૈયા(પશ્ર્ચિમ)ગામે પિતા-પુત્રીના મોત અંગેનો નવો વળાંક આવ્યો છે જેમાં બળવંતસિંહ ઠાકોરને બે ઈસમો મગનભાઈ સુંદરભાઈ વણકર(રહે.ભામૈયા, ગોધરા)તથા હાર્દિક દ્વારા મૃતક બળવંતસિંહ ઠાકોર પાસેથી પૈસા પડાવવા માટે મૌખિક અને ટેલીફોનથી ધમકી આપવામાં આવતી હોય અને બ્લેકમેઈલ કરીને માનસિક ત્રાસ આપી પૈસાની માંગણી કરવામાં આવતી હતી અને આ બંને ઈસમો દ્વારા મૃતક બળવંતભાઈ ઠાકોર પાસેથી પૈસા કઢાવી મરવા માટે મજબુર કરવામાં આવ્યા હોવાનું સામે આવતા ચકચાર મચી ગઇ છે. 

આ સમગ્ર ખુલાસો બળવંતસિંહ ઠાકોર દ્વારા મરતા પહેલા લખવામાં આવેલ ચિઠ્ઠીના આધારે થયો છે.જેને લઈ ગોધરા બી-ડીવીઝન પોલીસ મથકે આરોપીઓ મગનભાઈ સુંદરભાઈ વણકર અને હાર્દિક વિરુદ્ધ આઈપીસી કલમ 307, 384, 506(2),114મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.