ઝાપટું@વાવ: કોરોના વાયરસને મજા તેવું વાતાવરણ, લોકો મુંઝવણમાં
અટલ સમાચાર, દિયોદર, સુઇગામ(કિશોર નાયક, દશરથ ઠાકોર)
કોરોના વાયરસને લઇ લોકડાઉન વચ્ચે બનાસકાંઠા જીલ્લામાં કમોસમી વરસાદનું આગમન થતાં ખેડૂતો ચિંતામાં મુકયા છે. જીલ્લાના સુઇગામ અને વાવ પંથકમાં કમોસમી વરસાદ આવ્યો હોવાનું સામે આવ્યુ છે. અપર સાઇક્લોનની અસરને કારણે જીલ્લાના સરહદી વિસ્તારમાં વરસાદ આવ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતને પાકમાં ભારે નુકશાની ભિતી સેવાઇ રહી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના સુઇગામ અને વાવ પંથકમાં વરસાદ આવ્યો હોવાનું સામે આવ્યું છે. વાવ તાલુકાના મીઠાવિચારણ ગામે સાંજના સમયે વરસાદી ઝાપટું આવ્યુ હતુ. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. એક તરફ કોરોનાનો ભય અને બીજી તરફ કમોસમી વરસાદને કારણે કૃષિપાકને નુકશાનની ભિતી સેવાઇ રહી છે. અપર સાઇક્લોનની અસરને કારણે વરસાદ આવવાથી તંમાકુ સહિતના પાકને ભારે નુકશાન થયુ હોવાનું સામે આવ્યુ છે.