હારીજ: આર્ટસ કોલેજની વાર્ષિક એનએસએસ શિબિર યોજાઇ
અટલ સમાચાર, હારીજ
પાટણ સ્થિત પી.કે.કોટાવાલા આર્ટસ કોલેજની એનએસએસની વાર્ષિક શિબિર હારીજ તાલુકાના અડીયા મુકામે તા.5-1-2020 થી 11-1-2020 સુધી યોજાઈ હતી. જેમાં એનએસએસ સ્વયંસેવકોએ અડીયા ગામે સફાઈ, જનજાગૃતિ રેલી, વ્યસન મુક્તિ સબંધિત નનામી યાત્રા, દરરોજ સવારે ગામમાં પ્રભાત રેલી અને યોગ જેવા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
આ સાથે ગામમાં ભવાઈ દ્વારા જનજાગૃતિ માટે કાર્યક્રમ એનએસએસ સ્વયંસેવકો માટે જુદા-જુદા વક્તાઓ દ્વારા વિવિધ વ્યાખ્યાનો આપવામાં આવ્યા હતા.ગામના પશુપાલકો માટે પશુ સારવાર કેન્દ્ર, કમલેશ સ્વામી અને તેમની ટિમ દ્વારા સંગીત કાર્યક્રમ પુનાભા લોક વિજ્ઞાન કેન્દ્ર પાટણ દ્વારા અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમ, ડો ઉર્વીબેન ગોસ્વામી દ્વારા અંધશ્રદ્ધા નિવારવા અંગે એક વ્યવસાય વગેરે જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.