આરોગ્ય@દેશ: જાણો ક્યાં સુધી પહેરવું પડશે માસ્ક ? નીતિ આયોગના સભ્યનું મોટું નિવેદન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે નીતિ આયોગના સભ્ય ડોક્ટર વી.કે.પોલે કહ્યું કે, માસ્ક આવતા વર્ષ સુધી રહેશે. તેમજ લોકોમાં કોરોનાના વિકાસને રોકવા માટે અસરકારક દવાઓની જરૂર પડશે. તેમણે એક ન્યૂઝ ચેનલની સાથેના ઈન્ટરવ્યૂમાં કોરોનાની વિરૂદ્ધની લડાઈમાં અસરકારક દવા, અનુશાસિત સોશિયલ વ્યવહાર પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે માસ્ક પહેરવાથી દૂર નહીં
 
આરોગ્ય@દેશ: જાણો ક્યાં સુધી પહેરવું પડશે માસ્ક ? નીતિ આયોગના સભ્યનું મોટું નિવેદન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે નીતિ આયોગના સભ્ય ડોક્ટર વી.કે.પોલે કહ્યું કે, માસ્ક આવતા વર્ષ સુધી રહેશે. તેમજ લોકોમાં કોરોનાના વિકાસને રોકવા માટે અસરકારક દવાઓની જરૂર પડશે. તેમણે એક ન્યૂઝ ચેનલની સાથેના ઈન્ટરવ્યૂમાં કોરોનાની વિરૂદ્ધની લડાઈમાં અસરકારક દવા, અનુશાસિત સોશિયલ વ્યવહાર પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે માસ્ક પહેરવાથી દૂર નહીં રહી શકાય થોડાક સમય માટે. આપણે આવતા વર્ષ સુધી માસ્ક પહેરવાનું ચાલુ રાખીશું. મારો દ્રષ્ટિકોરણ એ છે કે રસી, દવા, તર્કસંગત અનુશાસિત વ્યવહારનું મિશ્રણ થશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નીતિ આયોગના સભ્ય વી.કે.પોલે બિમારીને રોકવા માટે અસરદાર દવાઓ પર ભાર મૂક્યો હતો. ભારતમાં કોવેક્સીન માટે વિશ્વ સ્વાસથ્ય સંગઠનની મંજૂરીની સ્થિતનો સંદર્ભ ટાંકતા પાલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, વૈશ્વિક સંસ્થા સકારાત્મક રિસ્પોન્સની સાથે આવશે. આ મહિનાના અંતની પહેલા. મોટાભાગે ભારતીયોની વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે શું કોરોનાની ત્રીજી લહેર આવશે ? તેમણે કહ્યું ના ન પડી શકાય. આવતા 3-4 મહિનાનો સમય છે. જ્યારે રસી હર્ડ ઈમ્યૂનિટી બનાવવા માટે રજૂ કરાઈ રહી છે. આપણે તેના કેરથી બચવાની જરુર છે.

આ સાથે તેમણે ઉમેર્યુ હતુ કે, મારી દ્રષ્ટિએ એ શક્ય છે કે શું આપણે બધા આ લડાઈમાં એક સાથે છીએ. તેમણે મોટા તહેવારોની ઋતુ જેમ કે દિવાળી અને દશેરાની વિરૂદ્ધ પણ ચેતવ્યા છે. તેમણે કહ્યું કે આવતા કેટલાક મહિનાઓમાં જે તહેવારો આવી રહ્યા છે. જેમાં જો બરાબર ધ્યાન ન આપવામાં આવ્યું તો શક્ય રીતે બિમારી મોટા પાયે ફેલાઈ શકે છે. જ્યારે તેમને આ સ્થિતિમાં લોકો પર પ્રતિબંધની ભલામણ પર સવાલ કરવામાં આવ્યો તો વરિષ્ઠ ડોક્ટર ભારતમાં આ અંગે અનિશ્ચિત હતા. તેમણે આશા વ્યક્ત કરી કે, દવાની સાથે દુનિયા ભાગ્યશાળી હશે જેમ રસી સાથે રહી. તેમણે કહ્યું કે, અમારી પાસે સંકટ ભર્યો સમય આવી રહ્યો છે. વાયરસને દૂર કરવાની રીત છે. સિદ્ધાંત રૂપમાં એવી સ્થિતિમાં વધારે ચરણબદ્ધ રીતે પ્રતિબંધ લગાવવા માટે ગાઈડલાઈન્સ છે અને તેને સમયસર લાગૂ કરવા જોઈએ.