આરોગ્યઃ રાત્રે આ ફળો ખાવાથી, ગંભીર પરિણામ આવી શકે છે

અટલ સમાચાર, ડેસ્ક ફળોનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. હકીકતમાં ફળોમાં વિપુલ પ્રમાણમાં વિટામિન્સ, મિનરલ્સ અને પૌષ્ટિક તત્વો હોય છે જે શરીરને તંદુરસ્ત અને સ્વસ્થ બનાવી રાખવામાં ખૂબ મદદ કરે છે. પરંતુ શું તમે એ વાત જાણો છો કે ફળોને યોગ્ય સમયે ખાવા જોઈએ. કોઈ પણ સમયે ફળો ખાવાથી શરીરને ફાયદાને બદલે
 
આરોગ્યઃ રાત્રે આ ફળો ખાવાથી, ગંભીર પરિણામ આવી શકે છે

અટલ સમાચાર, ડેસ્ક

ફળોનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. હકીકતમાં ફળોમાં વિપુલ પ્રમાણમાં વિટામિન્સ, મિનરલ્સ અને પૌષ્ટિક તત્વો હોય છે જે શરીરને તંદુરસ્ત અને સ્વસ્થ બનાવી રાખવામાં ખૂબ મદદ કરે છે. પરંતુ શું તમે એ વાત જાણો છો કે ફળોને યોગ્ય સમયે ખાવા જોઈએ. કોઈ પણ સમયે ફળો ખાવાથી શરીરને ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે. એટલે કે કસમયે ખાવામાં આવેલા ફળો ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સમાચાર પ્રમાણે રાત્રે વિટામિન સીથી ભરપૂર ખાટા ફળોનું સેવન ન કરવું જોઈએ. ખાટા ફોળો એટેલે કે સિટ્ર્સ ફ્રૂટ. હકીકતમાં લીંબુ, સંતરા, મોસંબી સહિત આ સિટ્રસ ફ્રૂટ એસિડિક હોય છે. રાત્રે ઊંઘતા પહેલા આવા ફળો ખાવાથી કોઈને પણ એસિડિટીની સમસ્યા થઈ શકે છે. જે લોકોને ગેસ કે પેટ સંબંધી કોઈ સમસ્યા હોય તેમણે રાત્રે ખાટા ફળોનું બિલકુલ સેવન ન કરવું જોઈએ.

રાત્રે ખાટા ફળોનું સેવન કરવાથી ખાંસી અને ગળામાં દર્દ જેવી સમસ્યા થઈ શકે છે. રાત્રે ખાટા ફળોના સેવનથી શરીરમાં કફ બની શકે છે. સૂતા પહેલા વિટામીન સીનું સેવન કરવાથી ઊંઘમાં ઘટાડો થઈ શકે છે. રાત્રે સિટ્ર્સ ફૂડ ખાવાથી વજન ઓછું કરવામાં પણ મુશ્કેલી આવી શકે છે. રાત્રે સિટ્ર્સ ફૂડનું સેવન કરવાથી શરીરમાં પાણીની માત્રા વધે છે, જેના કારણે વારેવારે ટૉઇલેટ જવું પડી શકે છે. આયુર્વેદ પ્રમાણે રાત્રે ખાટા ફળોનું સેવન કરવાથી દોષ વધે છે.

ખાટા ફળો એસિડિક હોય છે. એટલે કે આ ફળોથી તમને છાતીમાં બળતરા થઈ શકે છે. આ ઉપરાંત અનેક લોકો એ વાત નથી જાણતા કે ખાટા ફળો ખાધાની 10 મિનિટ પછી તમારે તમારા દાંતને ધ્યાનથી સાફ કરવા જોઈએ. કારણ કે તેનાથી દાંતમાં સડો પણ લાગી શકે છે. દાંત સડી જવાના પ્રાથમિક પદાર્થમાં બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલું એસિડ હોય છે. આ લેખમાં આપવામાં આવેલી જાણકારી માન્યતા પર આધારિક છે. આનો અમલ કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.