આરોગ્યઃ WHOએ પ્રથમવાર ખાવા-પીવાને લઈને જાહેર કરી ગાઇડલાઇન

અટલ સમાચાર, ડેસ્ક 1 કોરોના વાયરસને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી ઘણી ગાઇડલાઇન જારી કરવામાં આવી ચુકી છે. સફાઇ અને સુરક્ષાને લઈને ઘણા પ્રકારના દિશા-નિર્દેશ આપવામાં આવ્યા છે. આ ક્રમમાં WHO તરફથી ફૂડ સેફ્ટીને લઈને કેટલિક ટિપ્સ આપવામાં આવી છે. સાથે તે પણ જણાવવામાં આવ્યું છે કે આ કેમ જરૂરી છે. આવો જાણીએ ખાવાને સુરક્ષિત
 
આરોગ્યઃ WHOએ પ્રથમવાર ખાવા-પીવાને લઈને જાહેર કરી ગાઇડલાઇન

અટલ સમાચાર, ડેસ્ક

1 કોરોના વાયરસને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી ઘણી ગાઇડલાઇન જારી કરવામાં આવી ચુકી છે. સફાઇ અને
સુરક્ષાને લઈને ઘણા પ્રકારના દિશા-નિર્દેશ આપવામાં આવ્યા છે. આ ક્રમમાં WHO તરફથી ફૂડ સેફ્ટીને લઈને કેટલિક
ટિપ્સ આપવામાં આવી છે. સાથે તે પણ જણાવવામાં આવ્યું છે કે આ કેમ જરૂરી છે. આવો જાણીએ ખાવાને સુરક્ષિત રાખવા માટે કઈ 5 રીતનો ઉપયોગ કરી શકાય છે.

2 ભોજન બનાવવા કે કોઈ ખાદ્ય સામગ્રિને અડતા પહેલા હાથને સારી રીતે સાફ કરો. ટોયલેટ બાદ પણ હાથને સાફ કરો. જમવાનું બનાવવા માટે ઉપયોગ થતી તમામ વસ્તુને સાફ કરો અને સેનેટાઇઝ કરી લો. કિચનને કોઈપણ પ્રકારના
જીવજંતુથી દૂર રાખો. મોટાભાગના સૂક્ષ્મજીવ બીમારીનું કારણ હોતા નથી પરંતુ ગંદી જગ્યા, પાણી અને જાનવરોમાં ખતરનાક સૂક્ષમજીવ વ્યાપક રૂપમાં જોવા મળે છે. આ સૂક્ષ્મજીવ વાસણ સાફ કરવા, કિચનના અન્ય કપડા અને કટિંગ બોર્ડમાં સરળતાથી આવી શકે છે જે હાથ દ્વારા ભોજનમાં પહોંચી શકે છે. તેનાથી ઘણા પ્રકારના ખાદ્ય જનિત રોગ થઈ શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

3 કાચું મીટ, ચિકન યા સી ફૂડ્સને અન્ય ખાદ્ય પદાર્થોથી દૂર રાખો. કાચા ભોજન માટે સામગ્રી અને વાસણને અલગ રાખો. કાચા ભોજનમાં ઉપયોગ થનારા કટિંગ બોર્ડ્સ અને ચાકૂનો ઉપયોગ બીજા ભોજન બનાવવામાં ન કરો. કાચા અને પાકા ભોજન વચ્ચે અંતર રાખવા તેને કોઈ વાસણમાં રાખો. કાચું ભોજન, વિશેષ કરીને માંસ, પોલ્ટ્રી, સી ફૂડ્સ અને તેના જૂસમાં ખતરનાક સૂક્ષમજીવ હોય છે. ભોજન બનાવતા સમયે તે એકબીજામાં જઈ શકે છે. તેથી તેને અલગ રાખવા જરૂરી છે.

4 ભોજન સારી રીતે પકાવો, ખાસ કરીને મીટ, ઇંડા, પોલ્ટ્રી અને સી ફૂડ્સ. તેને 70 ડિગ્રી તાપમાન પર ધીમે-ધીમે ઉકાળીને પકાવો. તેનું સૂપ બનાવતા સમયે ધ્યાન રાખો કે તેમાં ગુલાબી કલર જોવા ન મળે. તે પાક્યા બાદ ચોખુ દેખાવું જોઈએ. તાપમાન ચેક કરવા માટે તમે થર્મોમીટરનો ઉપયોગ કરી શકો છો. પાકેલું ભોજન જમતા પહેલા એકવાર ગરમ કરો. સારી રીતે ભોજન ગરમ કરવાથી કીટાણુ નાશ પામે છે. એક અભ્યાસથી ખ્યાલ આવે છે કે 70 ડિગ્રી પર પાકેલુ ભોજન સુરક્ષિત હોય છે. જમવાનું બનાવવામાં જેના પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે તે છે કીમા, મીટ અને પોલ્ટ્રી.

5 રૂમના તાપમાન પર પાકેલા ભોજનને 2 કલાક કરતા વધુ ન રાખો. પકાવેલ ભોજનને યોગ્ય તાપમાનમાં ફ્રીઝમાં રાખો. ભોજન પિરસતા પહેલા તેને 60 ડિગ્રી તાપમાનમાં ગરમ કરો. ભોજન ફ્રીજમાં પણ લાંબો સમય ન રાખો.રૂમના તાપમાન પર રાખવાથી સૂક્ષ્મજીવો ઝડપથી વધે છે. 5 ડિગ્રીથી ઓછા અને 60 ડિગ્રીથી વધુ તાપમાનમાં આ સૂક્ષમજીવો ઉદ્ભવતા બંધ થઈ જાય છે.

6 પીવા અને ભોજન બનાવવામાં સ્વચ્છ પાણીનો ઉપયોગ કરો. બની શકો તો પાણી પીતા પહેલાં ગરમ કરો. શાક અને ફળને ધોવો. તાજા અને પૌષ્ટિક ખાદ્ય પદાર્થો લો. સુરક્ષાની દ્રષ્ટિએ પાશ્ચરાઇઝ્ડ દૂધ સારૂ હોય છે. એક્સપાયરી ડેટથી આગળ ભોજનનો ઉપયોગ ન કરો. કાચી સામગ્રી ત્યાં સુધી કે પાણી અને બરફમાં ઘણીવાર ખતરનાક બેક્ટેરિયા મળી આવે છે. જે પાણીને ઝેરી બનાવી દે છે. કાચા ખાદ્ય પદાર્થોની ખરીદી સારી રીતે કરો અને તેને સાફ કરીને કાપો. તેથી તેમાં કિટાણુનો નાશ થાય છે.