ભયાનક@અકસ્માતઃ ટ્રોલીમાં બસ ઘુસી જતાં 14ના મોત, 24ને ઇજા

અટલ સમાચાર, ડેસ્ક યુપીના ફિરોજાબાદમાં આગરા લખનઉ એક્સપ્રેસ વે પર મોટો અકસ્માત સર્જાયો છે. અહીં ગત રાત્રે એક ડબર ડેકર વોલ્વો બસ રોડ પર ઉભેલી ટ્રોલીમાં ઘુસી ગઇ. આ ભીષણ અકસ્માતમાં 14 મુસાફરોના મોત નિપજ્યા છે, જ્યારે 24થી વધુ અન્ય લોકો ઘાયલ થયા છે, તેમાં લગભગ 7 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
 
ભયાનક@અકસ્માતઃ ટ્રોલીમાં બસ ઘુસી જતાં 14ના મોત, 24ને ઇજા

અટલ સમાચાર, ડેસ્ક

યુપીના ફિરોજાબાદમાં આગરા લખનઉ એક્સપ્રેસ વે પર મોટો અકસ્માત સર્જાયો છે. અહીં ગત રાત્રે એક ડબર ડેકર વોલ્વો બસ રોડ પર ઉભેલી ટ્રોલીમાં ઘુસી ગઇ. આ ભીષણ અકસ્માતમાં 14 મુસાફરોના મોત નિપજ્યા છે, જ્યારે 24થી વધુ અન્ય લોકો ઘાયલ થયા છે, તેમાં લગભગ 7 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ફિરોજાબાદને એસપી સચિંદ્વ પટેલે જણાવ્યું હતું કે બુધવારે રાત્રે લગભગ 10 વાગ્યાની ઘટના છે. માઇલ સ્ટોન 71/3 પોલીસ સ્ટેશન નગલા ખંગર ક્ષેત્રમાં દિલ્હીથી બિહાર જઇ રહેલી પ્રાઇવેટ વોલ્વો બસ રસ્તા પર ઉભેલી ટ્રોલી સાથે ટકરાઇ ગઇ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે અત્યાર સુધી કુલ 14 મુસાફરોના મોત થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

તેમાંથી 5 લોકોના મોત હોસ્પિટલમાં થયા છે, જ્યારે 2 ડઝનથી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત છે, જેમાં 5ની હાલત અતિ ગંભીર છે. એસએસપી ફિરોજાબાદ સહિત અન્ય અધિકારી ઘટનાસ્થળે હાજર રહ્યા હતા. ટક્કર એટલી ભયંકર હતી કે બસના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા.