હડકંપ@ગુજરાત: કોંગ્રેસના દિગ્ગજ ભરતસિંહની પત્નિએ કર્યો મોટો આક્ષેપ, પતિ સોલંકીએ કાઢી મુકી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી દ્વારા તેમના પત્નીને નોટીસ આપવાના મામલે પત્ની રેશ્મા પટેલે મોટો ખુલાસો કર્યો છે. રેશ્મા પટેલે વકીલ નિખલ જોષી મારફતે જાહેર નોટીસ સામે ખુલાસો કરતા કહ્યું છે કે, ભરતસિંહ સોલંકીને કોરાના હતો ત્યારે સેવા ચાકરી કરી પુનઃજીવન આપ્યું છે. કોરોનાથી સ્વસ્થ થયા બાદ
 
હડકંપ@ગુજરાત: કોંગ્રેસના દિગ્ગજ ભરતસિંહની પત્નિએ કર્યો મોટો આક્ષેપ, પતિ સોલંકીએ કાઢી મુકી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી દ્વારા તેમના પત્નીને નોટીસ આપવાના મામલે પત્ની રેશ્મા પટેલે મોટો ખુલાસો કર્યો છે. રેશ્મા પટેલે વકીલ નિખલ જોષી મારફતે જાહેર નોટીસ સામે ખુલાસો કરતા કહ્યું છે કે, ભરતસિંહ સોલંકીને કોરાના હતો ત્યારે સેવા ચાકરી કરી પુનઃજીવન આપ્યું છે. કોરોનાથી સ્વસ્થ થયા બાદ ભરતસિંહ સોલંકીનું વર્તન બદલાયું હોવાની વાત પત્ની રેશમા પટેલે કહ્યું છે. આ સહિત વકીલે જણાવ્યું કે, ભરતસિંહ સોલંકી તેમના પત્ની સાથે ગેરવર્તન કરતા હતા. પત્નીને પહેરેલે કપડે ઘરમાંથી કાઢી મુક્યા છે. રાજકારણના હોદ્દાનો દુર ઉપયોગ કર્યાનો આક્ષેપ પણ ભરતસિંહ વિરુદ્ધ થયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત કોંગ્રેસના દિગ્ગ્જ નેતા ભરતસિંહ સોલંકીના પત્નિએ કહ્યુ છે કે, તેમના પતિ છૂટાછેડા માટે દબાણ કરી રહ્યા છે. રેશ્મા પટેલને દબાણમાં લાવવા ભરતસિંહ સોલંકીએ નોટીસ આપી છે. રેશ્મા પટેલ આજે પણ એક સારા પત્ની તરીકે રહેવા તૈયાર હોવાની વાત વકીલ કરી રહ્યા છે. પણ રેશ્મા પટેલને માનસીક ત્રાસ મળતો હોવાની વાત વકીલે કરી છે. ઘરમાંથી કાઢી મુકવા અલગ અલગ વ્યક્તિ દ્વારા ધમકી અપાઈ હોવાનો પણ ભરતસિંહ વિરુદ્ધ આક્ષેપ ઉઠી રહ્યા છે. છુટાછેડા લેવા માટે માનસીક દબાણમાં લાવવા ખોટી નોટીસ આપી હોવાની વાત રેશમા પટેલના વકીલે કરી છે. રેશ્મા પટેલ સામે કરવામાં આવેલા આક્ષેપ તદ્દન પાયા વિહોણા ગણાવ્યા છે.

હડકંપ@ગુજરાત: કોંગ્રેસના દિગ્ગજ ભરતસિંહની પત્નિએ કર્યો મોટો આક્ષેપ, પતિ સોલંકીએ કાઢી મુકી
File Photo

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પોતાના પત્ની વિરૂદ્ધ જાહેર નોટિસ પાઠવી અને કહ્યું હતું કે, પત્ની રેશ્મા પટેલ સાથે હવે કોઇ સંબંધ નથી અને છેલ્લા 4 વર્ષથી અલગ રહીએ છીએ. સાથે જ તેમણે એવું પણ જણાવ્યું હતું કે, પત્ની કહ્યામાં નથી, મનસ્વી રીતે વર્તે છે. માટે કોઈ વ્યક્તિએ રેશ્મા પટેલ સાથે નાણાકીય લેવડ દેવડ કરવી નહિ. તેમ છતાં કોઇ નાણાંકીય લેવડ દેવડ કરશે તો તેની જવાબદારી ભરતસિંહ સોલંકીની રહેશે નહીં. આવી એક જાહેર નોટિસ ગુજરાત કોંગ્રેસના નેતા દ્વારા પાઠવવામાં આવી હતી.