માં અંબા માટે ચેન્નાઇથી આવ્યું અડધો કિલો સોનુ : શિખરને સોને મઢવા શ્રધ્ધાળુઓ આતુર

અટલ સમાચાર,અંબાજી અંબાજી- યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરનાં મુખ્ય શિખરને સુવર્ણથી મઢવાની પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થતાં રપ જાન્યુઆરીએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લોકાર્પણ કર્યુ હતુ. આ સાથે રૂપાણીએ વધુમાં વધુ લોકો સોનાનું દાન કરી મંદિર વહેલી તકે સંપૂર્ણ સુવર્ણમય બને તેવી અપીલ કરી હતી. જેનાં પગલેં મંદિરને સોનાના દાનને લઇ સારો આવકાર મળી રહ્યો છે.
 
માં અંબા માટે ચેન્નાઇથી આવ્યું અડધો કિલો સોનુ : શિખરને સોને મઢવા શ્રધ્ધાળુઓ આતુર

અટલ સમાચાર,અંબાજી

અંબાજી- યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરનાં મુખ્ય શિખરને સુવર્ણથી મઢવાની પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થતાં રપ જાન્યુઆરીએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લોકાર્પણ કર્યુ હતુ. આ સાથે રૂપાણીએ વધુમાં વધુ લોકો સોનાનું દાન કરી મંદિર વહેલી તકે સંપૂર્ણ સુવર્ણમય બને તેવી અપીલ કરી હતી. જેનાં પગલેં મંદિરને સોનાના દાનને લઇ સારો આવકાર મળી રહ્યો છે.
રપ જાન્યુઆરીએ જ અંબાજી મંદીર ટ્રસ્ટને સવા બે કિલો સોનાની જાહેરાત કરાઇ હતી જેમાં 500 ગ્રામ સોનું અપાયુ હતુ ત્યાર બાદ 2 લાખ તેમ જ 5 લાખનાં ચેક સોનાનાં દાન માટે મળ્યા હતાં.

માં અંબા માટે ચેન્નાઇથી આવ્યું અડધો કિલો સોનુ : શિખરને સોને મઢવા શ્રધ્ધાળુઓ આતુરર૬ જાન્યુઆરીના રોજ ફરી અંબાજી મંદિરને 444 ગ્રામ સોનું ટ્રસ્ટને દાનમાં મળ્યું છે. ચેન્નઇમાં રહેતાં જૈન મનીષભાઇ ધાનસાએ પોતાના પરિવાર સાથે આજે અંબાજી મંદિરે પહોંચી મંદિરમાં માતાજીને 444 ગ્રામ અંદાજે કિંમત રૂપિયા 13.54 લાખની કિંમતનો સોનાનો હાર માતાજીને અર્પણ કર્યો હતો. જેમાં અસલી રૂબીના નંગ જડવામાં આવેલાં હતા. જોકે આ દાન આપ્યાં બાદ દાતાએ મુખ્યપ્રધાને કરેલ અપીલને વધાવી હતી અને વહેલી તકે મંદિર સોનાનું બની જાય તેવી મનોકામના કરી હતી.