અસર@સરસ્વતી: સ્વૈચ્છિક લોકડાઉનના ચુસ્ત પાલનથી આ ગામ બન્યું કોરોનામુક્ત

અટલ સમાચાર ડોટ કોમ, સરસ્વતી સરસ્વતી તાલુકાના એક ગામમાં સ્વૈચ્છિક લોકડાઉનના ચુસ્ત પાલનથી ગામ કોરોનામુક્ત બન્યુ છે. ગામના સરપંચ અને સ્થાનિક વહીવટીતંત્રના સહયોગથી ગામમાં એક સમયે વધી ગયેલ કોરોના સંક્રમણને અટકાવીને વર્તમાનમાં કોરોનાથી મુક્ત બન્યું છે. નોંધનિય છે કે, ગામમાં ટેસ્ટીંગ, ટ્રેસીંગ અને ટ્રીટમેન્ટ મુજબ કોરોનાના દર્દીઓના સંપર્કમાં આવેલ લોકોનું ટેસ્ટીંગ કરીને જો તેઓ પોઝીટીવ
 
અસર@સરસ્વતી: સ્વૈચ્છિક લોકડાઉનના ચુસ્ત પાલનથી આ ગામ બન્યું કોરોનામુક્ત

અટલ સમાચાર ડોટ કોમ, સરસ્વતી

સરસ્વતી તાલુકાના એક ગામમાં સ્વૈચ્છિક લોકડાઉનના ચુસ્ત પાલનથી ગામ કોરોનામુક્ત બન્યુ છે. ગામના સરપંચ અને સ્થાનિક વહીવટીતંત્રના સહયોગથી ગામમાં એક સમયે વધી ગયેલ કોરોના સંક્રમણને અટકાવીને વર્તમાનમાં કોરોનાથી મુક્ત બન્યું છે. નોંધનિય છે કે, ગામમાં ટેસ્ટીંગ, ટ્રેસીંગ અને ટ્રીટમેન્ટ મુજબ કોરોનાના દર્દીઓના સંપર્કમાં આવેલ લોકોનું ટેસ્ટીંગ કરીને જો તેઓ પોઝીટીવ આવે તો તરત જ સારવાર મળી રહે એ માટે દવાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતુ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના એંદલા ગામ કોરોનામુક્ત જાહેર થયુ છે. કોરોનાનું સંક્રમણ ગ્રામીણ વિસ્તારોમાં વધતા ગ્રામજનો દ્વારા સ્વૈચ્છિક રીતે સજ્જડ લોકડાઉનનું પાલન કરીને ગામને કોરોનામુકત કરવા પાટણ જિલ્લાના અનેક ગામો દ્વારા સફળ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એદલા ગામ સરપંચ અમૃતભાઈ રબારી અને સ્થાનિક વહીવટીતંત્રના સહયોગથી ગામમાં એક સમયે વધી ગયેલ કોરોના સંક્રમણને અટકાવીને વર્તમાનમાં કોરોનાથી મુક્ત બન્યું છે. સરસ્વતી તાલુકાના એદલા ગામમાં શરૂઆતમાં કોરોનાના કેસ નોંધાતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કાર્યરત સ્ટાફ દ્વારા ગામમાં મોટાપાયે કોરોના ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતુ.

અસર@સરસ્વતી: સ્વૈચ્છિક લોકડાઉનના ચુસ્ત પાલનથી આ ગામ બન્યું કોરોનામુક્ત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગામના સરપંચ અમૃતભાઈ રબારીએ યુવાનોની ટીમ બનાવી થોડાક દિવસો સુધી ગામમાં સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કરવા માટે ગામલોકોને સમજાવ્યા હતા. ગામના નાગરિકોએ પણ કોરોનાના કેસો વધતા સર્વસંમતથી બિનજરૂરી અવર-જવર પર પ્રતિબંધ મૂક્યો હતો. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ગામમાં ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી કરીને પ્રત્યેક વ્યક્તિના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવી. જો કોઈ વ્યક્તિમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાય તો મેડીકલ કીટ આપી સારવાર શરૂ કરવામાં આવી. કોરોનાના દર્દીઓ સંપૂર્ણ હોમ આઈસોલેશનનું પાલન કરે એની પૂરી કાળજી લેવામાં આવી.

અસર@સરસ્વતી: સ્વૈચ્છિક લોકડાઉનના ચુસ્ત પાલનથી આ ગામ બન્યું કોરોનામુક્ત

નોંધનિય છે કે, ગામમાં ડેરી દ્વારા નિયમિત રીતે ઉકાળા વિતરણ કરવામાં આવ્યું. જે આજદિન સુધી શરૂ છે. ગામમાં જો કોઈ વ્યક્તિ માસ્ક વગર ફરે તેને દંડની જોગવાઈ કરવામાં આવી અને દંડના રૂપિયાથી ગામમાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યું. ગ્રામજનોએ સ્વૈચ્છિક રીતે જ મરણ પ્રસંગે બહારથી આવતા લોકો પર પ્રતિબંધ મૂક્યો અને ગામમાં કોરોના સંક્રમણ વધે નહિ એ માટે સંકલ્પિત બન્યા.

અસર@સરસ્વતી: સ્વૈચ્છિક લોકડાઉનના ચુસ્ત પાલનથી આ ગામ બન્યું કોરોનામુક્ત

સમગ્ર મામલે તાલુકા હેલ્થ અધિકારી ડૉ. મિતેશ પ્રજાપતિએ જણાવ્યું હતુ કે, ગામમાં બે દર્દીઓ એવા હતાં કે જેમનું ઓક્સિજન લેવલ ઓછું હતું. છતાં તેમને ઘરે જ યોગ્ય સારવાર આપી અને તેમણે ઘરે જ રહીને કોરોનાને હરાવ્યો છે. એદલા ગામના લોકોએ કોરોના પ્રતિરોધક રસી લેવામાં પણ સારો ઉત્સાહ દર્શાવ્યો છે. ગામમાં એક જ દિવસમાં 45 વર્ષથી વધુ વયના 90થી વધુ લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. ગ્રામજનોના સંયમ અને શિસ્તના કારણે સકારાત્મક વાતાવરણનું સર્જન થતા કોરોનાને હરાવી શકાય એવો લોકોમાં વિશ્વાસ જાગૃત થયો અને અત્યારે એદલા ગામ સંપૂર્ણ રીતે કોરોનામુક્ત થયું છે. હાલના સમયમાં જ્યારે કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે એદલાના ગ્રામજનોએ સરપંચની આગેવાનીમાં દાખવેલ સમય સૂચકતા અને જાગૃતતા પાટણ જિલ્લાના અન્ય ગામોને સ્વૈચ્છિક પ્રયાસોથી કોરોનામુક્ત થવા માટે માર્ગદર્શન પુરૂ પાડી રહ્યું છે.