ગણતંત્રના દિવસે કાશ્મીરમાં આતંકીઓની લુચ્ચાઈઃ સરહદે ગોળીબારમાં બે આતંકીને સેનાએ ઠાર માર્યા

અટલ સમાચાર, ડેસ્ક ભારત ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો છે અને આતંકીઓ કાશ્મીરની ઘાટીમાં તેમની નાપાક લુચ્ચાઈને અંજામ આપી રહ્યા છે. ગણતંત્ર દિવસે આંતકીઓએ સુરક્ષાબળો પર હુમલો કર્યો છે. જેમાં 5 જવાનો ઘવાયા છે. આંતકીઓએ SOG અને CRPF કેમ્પને નિશાન બનાવી હૂમલો કર્યો છે. સુરક્ષાબળોએ પણ આંતકીઓના હુમલાનો વળતો જવાબ આપતા અથડામણમાં 2 આંતકીઓને ઠાર
 
ગણતંત્રના દિવસે કાશ્મીરમાં આતંકીઓની લુચ્ચાઈઃ સરહદે ગોળીબારમાં બે આતંકીને સેનાએ ઠાર માર્યા

અટલ સમાચાર, ડેસ્ક

ભારત ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો છે અને આતંકીઓ કાશ્મીરની ઘાટીમાં તેમની નાપાક લુચ્ચાઈને અંજામ આપી રહ્યા છે. ગણતંત્ર દિવસે આંતકીઓએ સુરક્ષાબળો પર હુમલો કર્યો છે. જેમાં 5 જવાનો ઘવાયા છે. આંતકીઓએ SOG અને CRPF કેમ્પને નિશાન બનાવી હૂમલો કર્યો છે. સુરક્ષાબળોએ પણ આંતકીઓના હુમલાનો વળતો જવાબ આપતા અથડામણમાં 2 આંતકીઓને ઠાર માર્યા છે.

જૈશ-એ-મોહમ્મદ સંગઠનના આતંકીઓ ગણતંત્ર દિવસે મોટી ઘટનાને અંજામ આપવાની તૈયારીમાં હતા. જો કે ભારતીય સેનાએ પણ પાકિસ્તાનની આ કરતૂતનો જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાની સેનાએ બુધવાર રાતે પણ પૂંછ જિલ્લાનાં મેંઢર સેક્ટરનાં ચેકપોસ્ટ પર ગોળીબાર કર્યો હતો. કાશ્મીરની ઘાટીમાં સેનાએ આંતકી સામે ઓપરેશન ઓલ આઉટ ચલાવ્યું છે. આ ઓપરેશનમાં આંતકીઓને ઠાર મરાઈ રહ્યા છે. બુધવારે પણ ભારતીય સુરક્ષાબળે બારામુલામાં  લશ્કર-એ-તોયબાનાં 3 આંતકીઓને ઠાર માર્યા હતા.