ઘટના@બનાસકાંઠા: વાવમાં ગૌશાળામાં 20 જેટલી ગાયોનાં મોતથી સમગ્ર પંથકમાં ચકચાર

 
ઘટના
તાત્કાલિક સારવાર ન મળતાં ગાયોના મોત નિપજ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બનાસકાંઠાના વાવમાં ગૌશાળામાં 20 જેટલી ગાયના મોત થયાનું સાને આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ખેડૂતોનું કહેવું છે કે ગાયોએ જંગલમાં એરંડા ખાઈ લેતા ફૂડ પોઈઝનિંગ થતાં ગાયોના મોત થયા હોઈ શકે. હાલ વહીવટી તંત્ર, પોલીસ અને પશુપાલન વિભાગના અધિકારીઓએ પશુના મોત અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.બનાસકાંઠા જીલ્લામાં વાવમાં ગૌશાળાની 20 ગાયો જંગલમાં ચરવા ગઈ હતી, દરમિયાન એરંડો ખાઈ લેતાં ફૂડ પોઈઝનિંગ થયું હતું. બાદમાં તાત્કાલિક સારવાર ન મળતાં ગાયોના મોત નિપજ્યાં હતા, જ્યારે 15 ગાયોને સારવાર આપવામાં આવી રહી છે.

પશુપાલન અધિકારીઓએ નમૂના લઈ ફોરેન્સિક લેબમાં મોકલી આપ્યા છે. દૂષિત ખોરાક ખાવાથી કોઈ પણ વ્યક્તિને ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે, પરંતુ કેટલાક લોકો દૂષણથી બીમાર થવાની શક્યતા અન્ય લોકો કરતા વધુ હોય છે. તે તેમણે કેટલું ઝેર પીધું અને કેટલું કેન્દ્રિત હતું તેના પર આધાર રાખે છે. ફૂડ પોઈઝનિંગ થવાના તમારા જોખમમાં તમારું એકંદર સ્વાસ્થ્ય પણ ભૂમિકા ભજવે છે. તમારી રોગપ્રતિકારક શક્તિ હંમેશા ચેપથી બચાવે છે, અને તમને તેના વિશે ખબર પણ નથી. સ્વચ્છ ખોરાક સંભાળવાની પદ્ધતિઓ હોવા છતાં, સામાન્ય રીતે તમારા ખોરાકમાં થોડી માત્રામાં દૂષણ હોય છે. જ્યારે તમારી રોગપ્રતિકારક શક્તિ તેની સીમા સુધી પહોંચે છે ત્યારે તે “ઝેરી” બની જાય છે.