ઘટના@ચોટીલા: હાઇવે પર બેફામ બનેલી ટ્રક પાન પાર્લરમાં ઘુસી ગઇ, જાનહાની ટળી

અટલ સમાચાર, સુરેન્દ્રનગર ચોટીલા હાઇવે પર મોટીવાડી પાસે રાત્રે એક ટ્રક દુકાનમાં ઘૂસી ગયો હતો. નશાની હાલતમાં ટ્રક ડ્રાઇવરે કાબૂ ગુમાવી દેતા હાઇવેની બાજુમાં આવેલી દુકાન પર ટ્રક ફરી વળ્યો હતો. અકસ્માતને પગલે દુકાનને ભારે નુકસાન થયું છે. આ દરમિયાન નાસભાગ મચી જવા પામી હતી. આ બનાવમાં સદનસીબે કોઈ વ્યક્તિને ઈજા નહીં પહોંચતાં લોકોએ રાહતનો
 
ઘટના@ચોટીલા: હાઇવે પર બેફામ બનેલી ટ્રક પાન પાર્લરમાં ઘુસી ગઇ, જાનહાની ટળી

અટલ સમાચાર, સુરેન્દ્રનગર

ચોટીલા હાઇવે પર મોટીવાડી પાસે રાત્રે એક ટ્રક દુકાનમાં ઘૂસી ગયો હતો. નશાની હાલતમાં ટ્રક ડ્રાઇવરે કાબૂ ગુમાવી દેતા હાઇવેની બાજુમાં આવેલી દુકાન પર ટ્રક ફરી વળ્યો હતો. અકસ્માતને પગલે દુકાનને ભારે નુકસાન થયું છે. આ દરમિયાન નાસભાગ મચી જવા પામી હતી. આ બનાવમાં સદનસીબે કોઈ વ્યક્તિને ઈજા નહીં પહોંચતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઘટના@ચોટીલા: હાઇવે પર બેફામ બનેલી ટ્રક પાન પાર્લરમાં ઘુસી ગઇ, જાનહાની ટળી

આ બનાવમાં દુકાન માલિક મુનાફભાઈ સહિત બેથી ત્રણ લોકોના ચમત્કારિક બચાવ થયો છે. ટ્રક ઘૂસી જતાં દુકાન પડી ગઈ હતી જેમાં અંદર ત્રણય લોકો દબાયા હતા. જોકે, તમામને સામાન્ય ઇજા પહોંચી હતી. આ મામલે દુકાન માલિક મુનાફભાઈ જણાવ્યું હતું કે, “અમે રાત્રે ત્રણ લોકો બેઠા હતા ત્યારે હાઇવે પરથી અચાનક પૂર ઝડપે ટ્રક આવ્યો હતો અને સીધો જ દુકાનમાં ઘૂસી ગયો હતો. બનાવને પગલે અમે નીચે દબાયા હતા પરંતુ કોઈને ઈજા પહોંચી નથી. આ બનાવમાં મારી દુકાનનો બુકડો બોલી ગયો છે.”

ઘટના@ચોટીલા: હાઇવે પર બેફામ બનેલી ટ્રક પાન પાર્લરમાં ઘુસી ગઇ, જાનહાની ટળી

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ટ્રક ઘૂસી જવાથી દુકાનમાં રહેલા સામાનને ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત દુકાનની દીવાલો તૂટી પડી હતી. દુકાનમાં ઘૂસી ગયેલા ટ્રકમાં સામાન ભર્યો હતો. આ ઉપરાંત દુકાન સાથે ટક્કર બાદ ટ્રકના વ્હીલ પણ જમીનમાં બેસી ગયા હતા. આ મામલે પોલીસે પહોંચીને દુકાન માલિકનું નિવેદન નોંધ્યું હતું.