ઘટના@દેશ: પ્રયાગરાજ કુંભથી પરત ફરી રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, 4ના મોત, 8 ઘાયલ

 
અકસ્માત

અકસ્માતની ઘટનાને લઈને પરિવારમાં ગમગમીનો માહોલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પ્રયાગરાજ કુંભથી પરત ઘરે ફરી રહેલા ગુજરાતી શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો છે. ટ્રક અને ટાટા વિંગર ટ્રાવેલર ગાડી વચ્ચે અકસ્માતની ઘટના બની છે.  ઘટનામાં 4 લોકોના મોત થયા છે જ્યારે 8 લોકો ઘાયલ થયા છે. સામે આવેલી વિગતો અનુસાર લીમખેડાના પાલ્લી હાઇવે પર આ અકસ્માતની ઘટના બની છે. રસ્તા ઉપર ઊભેલી ટ્રકમાં પાછળથી ટ્રાવેલર ગાડીએ ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વર ધોળકા સહિતના પરિવારના સભ્યો અકસ્માતનો ભોગ બન્યા છે. હલામાં ઘાયલોને સારવાર માટે દાહોદ સિવિલ હોસ્પિટલે ખસેડાયા છે. જ્યારે મૃતદેહને લીમખેડા લઈ જવામાં આવ્યા છે.ઘટનાને લઈ હાઇવે ઓથોરિટી 108 પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે ઘટનાને લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતની ઘટનાને લઈને પરિવારમાં ગમગમીનો માહોલ છે.

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 10 શ્રદ્ધાળુઓના મોત થયાના અહેવાલ છે, જ્યારે 19 લોકો ઘાયલ થયા છે. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ઘાયલોને બચાવી લેવામાં આવ્યા અને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા. દરમિયાન, મૃતદેહોને શબઘરમાં રાખવામાં આવ્યા છે. બોલેરોમાં સવાર બધા જ પુરુષો હતા, જેમની ઉંમર 25 થી 45 વર્ષની વચ્ચે હતી. આ અકસ્માતમાં બધાએ પોતાના જીવ ગુમાવ્યા છે. શુક્રવારે મોડી રાત્રે પ્રયાગરાજ-મિર્ઝાપુર હાઇવે પર એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. શ્રદ્ધાળુઓથી ભરેલી બોલેરો કાર અને બસ વચ્ચે સામસામે ટક્કર થઈ હતી, જેમાં 10 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં બોલેરોમાં મુસાફરી કરી રહેલા તમામ 10 શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. તે બધા છત્તીસગઢના કોરબા જિલ્લાના રહેવાસી હતા.