ઘટના@મહેસાણા: પુત્ર ઘેલછામાં વહુને ત્રાસ, ભરયુવાનીમાં સળગીને આપઘાત, પતિ સહિત 3 સામે ફરિયાદ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા મહેસાણા શહેરમાં જાગૃત અને સુખી કહી શકાય તેવાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે. ભરયુવાનીમાં પરિણીતાએ આપઘાત કરી લેતાં તેના પિયરમાં હાહાકાર મચી ગયો છે. પુત્ર ઘેલછામાં સાસરિયાનો ત્રાસ સહન નહિ થતાં વહુએ સેનેટાઇઝર લગાવી શરીર જલાવી દીધું હતું. મોડીરાત્રે કે વહેલી સવારે પતિ સહિતનાને ખબર પડતાં સન્નાટો મચી ગયો હતો.
 
ઘટના@મહેસાણા: પુત્ર ઘેલછામાં વહુને ત્રાસ, ભરયુવાનીમાં સળગીને આપઘાત, પતિ સહિત 3 સામે ફરિયાદ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મહેસાણા શહેરમાં જાગૃત અને સુખી કહી શકાય તેવાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે. ભરયુવાનીમાં પરિણીતાએ આપઘાત કરી લેતાં તેના પિયરમાં હાહાકાર મચી ગયો છે. પુત્ર ઘેલછામાં સાસરિયાનો ત્રાસ સહન નહિ થતાં વહુએ સેનેટાઇઝર લગાવી શરીર જલાવી દીધું હતું. મોડીરાત્રે કે વહેલી સવારે પતિ સહિતનાને ખબર પડતાં સન્નાટો મચી ગયો હતો. જમાઇએ જાણ કરતાં મૃતક દિકરીના માતા સહિતના તાત્કાલિક દોડી આવ્યા હતા. પરિણીતાની માતાએ આખરે જમાઇ અને વેવાઇ-વેવણ વિરુદ્ધ દુષ્પ્રેષણથી મોત આપ્યાની ફરિયાદ નોંધાવી છે. આરોપી પતિ મહેસાણા કલેક્ટર કચેરીમાં કરાર આધારિત નોકરી કરતાં હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે.

ઘટના@મહેસાણા: પુત્ર ઘેલછામાં વહુને ત્રાસ, ભરયુવાનીમાં સળગીને આપઘાત, પતિ સહિત 3 સામે ફરિયાદ

મહેસાણા શહેરમાં પરિણીતાએ શરીરે સેનેટાઇઝર છાંટી સળગીને આત્મહત્યા કરી લેવાની ઘટના સામે આવી છે. મૂળ ચાણસ્મા તાલુકાના વડાવલી ગામના અમરતભાઇ ચતુરભાઇ પટેલ મહેસાણા શહેરમાં રહે છે. તેમની દિકરી વિધીના લગ્ન મૂળ પીલુદરાના અને હાલ મહેસાણા રહેતાં રોનક જયંતિલાલ પટેલ સાથે થયા હતા. જેમાં પરિણીતા વિધીને સંતાનમાં એક દિકરીનો જન્મ થયો હતો. આ દરમ્યાન પરિણીતાના સાસરીયાઓ દિકરો મેળવવાની ઘેલછામાં વિધીને માનસિક પરેશાન કરતાં હતા. આ તરફ પરીવારજનો પરિણીતાનું જીવન ના બગડે તે માટે તેને સમજાવી પરત સાસરી મોકલી દેતા હતા. આ સમય પહેલા વિધીને સંતાનમાં પુત્રીનો જન્મ થયો હતો. જોકે અચાનક પરિણીતા વિધી પટેલે લગ્ન જીવનની ભરયુવાનીમાં સળગીને આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુત્રોએ જણાવ્યું હતું કે, આપઘાતની ઘટના બાદ પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી પરિસ્થિતિ સામે આવી છે. પરિણીતા વિધીના પતિ રોનક જયંતિલાલ પટેલ, સસરા જયંતિલાલ મગનદાસ પટેલ અને સાસુ કોકીલાબેન જયંતિલાલ પટેલ સંતાનમાં પુત્રની ઘેલછામાં વિધીને મહેણા ટોણાં મારતા હતા. જેથી પરિણીતાએ ત્રાસ સહન નહિ થતાં અગ્નિસ્થાન કરી જીવન ટુંકાવ્યું છે. સમગ્ર મામલે પરિણીતા વિધી પટેલની માતા જશીબેન પટેલે પોતાની દિકરીને દુષ્પ્રેષણ થયું હોવાની ફરિયાદ આપી છે. આથી મહેસાણા બી ડીવીઝન પોલીસે ત્રણેય ઈસમો વિરુદ્ધ આઇપીસીની કલમ 306, 498A, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.