ઘટના@મહેસાણા: નોકરીથી પરત ફરતાં યુવકનું કારની અડફેટે મોત, ફરાર ચાલક સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા કોરોનાકાળ વચ્ચે મહેસાણા-પાલનપુર હાઇવે પર માર્ગ અકસ્માતની ઘટનામાં યુવકનું મોત થયુ છે. ગઇકાલે રાત્રે પંથકનો યુવક બાઇક પર નોકરીથી પરત ફરતો હતો. આ દરમ્યાન સોનેરીપુરા પાટીયા પાસે હાઇવે પરથી પસાર થતી કારે તેને અડફેટે લીધો હતો. જેથી તે ફંગોળાઇને નીચે પડતાં ગંભીર ઇજાઓને કારણે તેનું મોત થયુ હતુ. અકસ્માત સર્જીને
 
ઘટના@મહેસાણા: નોકરીથી પરત ફરતાં યુવકનું કારની અડફેટે મોત, ફરાર ચાલક સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કોરોનાકાળ વચ્ચે મહેસાણા-પાલનપુર હાઇવે પર માર્ગ અકસ્માતની ઘટનામાં યુવકનું મોત થયુ છે. ગઇકાલે રાત્રે પંથકનો યુવક બાઇક પર નોકરીથી પરત ફરતો હતો. આ દરમ્યાન સોનેરીપુરા પાટીયા પાસે હાઇવે પરથી પસાર થતી કારે તેને અડફેટે લીધો હતો. જેથી તે ફંગોળાઇને નીચે પડતાં ગંભીર ઇજાઓને કારણે તેનું મોત થયુ હતુ. અકસ્માત સર્જીને ચાલક કાર લઇ ફરાર થઇ જતાં મૃતકના ભાઇએ ફરાર કારચાલક સાથે મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા તાલુકાના નાનીદાઉના યુવકનું માર્ગ અકસ્માતની ઘટનામાં કરૂણ મોત થયુ છે. ગઇકાલે મૃતક યુવક નોકરીથી પરત ઘરે બાઇક પર આવી રહ્યો હતો. આ દરમ્યાન સોનેરીપુરા પાટીયા પાસે એક બોલેરો ચાલકે તેને ટક્કર મારતાં યુવક નીચે પટકાયો હતો. જેથી યુવકને માથામાં અને ડાબા પગે ગંભીર ઇજાઓ પહોંચી હોઇ લોહીલુહાણ થઇ ગયો હતો. જે બાદમાં સ્થાનિકોએ દોડી આવી 108ને ફોન કરતાં મહેસાણા સિવીલ લાવતાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મહેસાણા-પાલનપુર હાઇવે પર માર્ગ અકસ્માતના બનાવોમાં આજે વધુ એકનો ઉમેરો થયો છે. ગઇકાલે રાત્રે નોકરીથી પરત ફરતાં યુવકને કારચાલકે અડફેટે લેતાં તેનું મોત થયુ હતુ. જે બાદમાં કારચાલક ગાડી લઇ ફરાર થઇ ગયુ હોવાનું સામે આવ્યુ છે. આ તરફ મૃતકના ભાઇએ અજાણ્યાં કારચાલક સામે મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ફરાર કારચાલક સામે આઇપીસી 279, 304A, 337, 338 અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.