ઘટના@પ્રાંતિજ: દુષ્કર્મ આચરી મહિલાની હત્યા કરી લાશને દાટી દીધી, આરોપી ઝબ્બે

અટલ સમાચાર, પ્રાંતિજ પ્રાંતિજ પંથકમાં અગાઉ રામપુરા ચારરસ્તા પાસેથી એક મહિલાની લાશ મળી આવી હતી. જે બાદમાં સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરતાં ગઇકાલે મોડીરાત્રે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પ્રાથમિક તપાસમાં આરોપીએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યા બાદ બબાલ થતાં ગળું દબાવીને હત્યા નાંખી હોવાનું સામે આવતાં ચકચાર મચી ગઇ છે. હાલ તો પ્રાંતિજ પોલીસના પીઆઇની
 
ઘટના@પ્રાંતિજ: દુષ્કર્મ આચરી મહિલાની હત્યા કરી લાશને દાટી દીધી, આરોપી ઝબ્બે

અટલ સમાચાર, પ્રાંતિજ

પ્રાંતિજ પંથકમાં અગાઉ રામપુરા ચારરસ્તા પાસેથી એક મહિલાની લાશ મળી આવી હતી. જે બાદમાં સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરતાં ગઇકાલે મોડીરાત્રે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પ્રાથમિક તપાસમાં આરોપીએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યા બાદ બબાલ થતાં ગળું દબાવીને હત્યા નાંખી હોવાનું સામે આવતાં ચકચાર મચી ગઇ છે. હાલ તો પ્રાંતિજ પોલીસના પીઆઇની ટીમે આરોપી ઇસમની અટકાયત વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજના રામપુરા ગામના ખરબામાંથી દાટેલી હાલતમાં મહિલાની લાશ મળી આવી હતી. આશરે 45 વર્ષીય મહિલાને રામપુરા ચાર રસ્તા નજીક ખરાબામાં બનાવેલ રામદેવપીરના મંદિર પાછળના ભાગે હત્યા કરીને દાટી દેવામાં આવી હતી. આ તરફ દુર્ગંધ આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. જે બાદમાં પ્રાંતિજ પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશ બહાર કાઢી વધુ તપાસ શરૂ કરી હતી.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, પ્રાંતિજ પોલીસ સ્ટેશનના PI પી.એલ.વાઘેલા સહિતની ટીમે તપાસ શરૂ કરતાં હત્યારો આરોપી ઝડપાઇ ગયો હતો. ગત દિવસોએ મહિલાની લાશના જમણા હાથમાં ચૌહાણ એલ.જે. લખેલુ જણાયું હતું. જે બાદમાં પોલીસે FSL અને ડોગ સ્કોર્ડની મદદ લઇ તપાસ હાથ ધરી હતી. આ દરમ્યાન આરોપી મહેશનાથ ભરથરીને ઝડપી લેતાં તેને પહેલાં મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું જે બાદમાં બોલાચાલી થતાં હત્યા કરી હોવાની વિગતો સામે આવતાં ચકચાર મચી ગઇ છે.