ઘટના@રાધનપુર: અગાઉની ફરીયાદ પરત ખેંચવાનું કહી દંપતિને જાનથી મારી નાંખવાની ધમકી આપી

અટલ સમાચાર ડોટ કોમ, રાધનપુર રાધનપુર તાલુકાના ગામે અગાઉની ફરીયાદ પરત લેવાનું કહી દંપતિને જાનથી મારી નાંખવાની ધમકી અપાઇ હોવાની ઘટના સામે આવી છે. ગત દિવસોએ રાધનપુર તાલુકાના ગામે કોઇ બાબતે ફરીયાદીએ આરોપી દંપતિ વિરૂધ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો. જેને લઇ ગઇકાલે રાત્રે આરોપી દંપતિએ ફરીયાદીના ઘરે આવી ગાળાગાળી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી
 
ઘટના@રાધનપુર: અગાઉની ફરીયાદ પરત ખેંચવાનું કહી દંપતિને જાનથી મારી નાંખવાની ધમકી આપી

અટલ સમાચાર ડોટ કોમ, રાધનપુર

રાધનપુર તાલુકાના ગામે અગાઉની ફરીયાદ પરત લેવાનું કહી દંપતિને જાનથી મારી નાંખવાની ધમકી અપાઇ હોવાની ઘટના સામે આવી છે. ગત દિવસોએ રાધનપુર તાલુકાના ગામે કોઇ બાબતે ફરીયાદીએ આરોપી દંપતિ વિરૂધ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો. જેને લઇ ગઇકાલે રાત્રે આરોપી દંપતિએ ફરીયાદીના ઘરે આવી ગાળાગાળી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઇ છે. ઘટનાને લઇ રાધનપુર પોલીસે બંને સામે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના અરજણસર ગામે દંપતિને જાનથી મારી નાંખવાની ધમકી અપાઇ હોવાની ઘટના સામે આવી છે. અરજણસરના ગાંડાજી લગધીરજી ઠાકોરે ગત દિવસોએ ગામના ગણેશભાઇ, હસાજી અને ચેતનજી સામે ફરીયાદ નોંધાવી હતી. આ દરમ્યાન ગઇકાલે રાત્રે ગાંડાજી અને તેમની પત્નિ બંને જણાં ઘરે બેસ્યાં હતા ત્યારે ગણેશભાઇ અને ચંપાબેને ત્યાં આવી અગાઉની ફરીયાદ પરત લેવાનું કહી ગાળાગાળી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

ઘટના@રાધનપુર: અગાઉની ફરીયાદ પરત ખેંચવાનું કહી દંપતિને જાનથી મારી નાંખવાની ધમકી આપી

સૂત્રોએ જણાવ્યું હતુ કે, માથાકૂટ દરમ્યાન ફરીયાદીના ભાગીયા અમરસિંહભાઇ ઠાકોરે આવી બંનેને સમજાવી પરત કર્યા હતા. જોકે આરોપી દંપતિએ જતાં-જતાં પણ ફરીયાદી અને તેમની પત્નિને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ કર્યો છે. ઘટનાને લઇ ગાંડાજીએ બંને સામે રાધનપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે બંને સામે આઇપીસી કલમ 504, 506(2), 294(b), 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટના@રાધનપુર: અગાઉની ફરીયાદ પરત ખેંચવાનું કહી દંપતિને જાનથી મારી નાંખવાની ધમકી આપી
જાહેરાત