ઘટના@રાજકોટઃ આ કારણથી ત્રણ ભાઇ-બહેન 10 વર્ષથી એક ઓરડીમાં કેદ હતાં

અટલ સમાચાર, ડેસ્ક રાજકોટ શહેરમાં ગ્રેજ્યુટ થયેલા ત્રણ ભાઈઓ બહેનો 10 વર્ષથી ઘરમાં પુરાયેલા હતા. જેમની અધોરી જેવી થઈ ગઈ હતી જટાઓ. ત્યારે સામાજીક સંસ્થા ને જાણ થતાં ત્રણેય ભાઈઓ બહેનો ઘરમાંથી 10 વર્ષે બહાર લાવી તેમને નવડાવી, વાળ દાઢી કરી નવા કપડાં પહેરાવી નવું જીવન આપવાનો પ્રયાસ કર્યો છે. ઘટનામાં મહેતા પરિવાર ના હાઇલી
 
ઘટના@રાજકોટઃ આ કારણથી ત્રણ ભાઇ-બહેન 10 વર્ષથી એક ઓરડીમાં કેદ હતાં

અટલ સમાચાર, ડેસ્ક

રાજકોટ શહેરમાં ગ્રેજ્યુટ થયેલા ત્રણ ભાઈઓ બહેનો 10 વર્ષથી ઘરમાં પુરાયેલા હતા. જેમની અધોરી જેવી થઈ ગઈ હતી જટાઓ. ત્યારે સામાજીક સંસ્થા ને જાણ થતાં ત્રણેય ભાઈઓ બહેનો ઘરમાંથી 10 વર્ષે બહાર લાવી તેમને નવડાવી, વાળ દાઢી કરી નવા કપડાં પહેરાવી નવું જીવન આપવાનો પ્રયાસ કર્યો છે.

ઘટનામાં મહેતા પરિવાર ના હાઇલી એજ્યુકેટેડ ત્રણ સંતાનો પોતાના જ ઘરમાં છેલ્લા દસ વર્ષથી પુરાઈને રહેતા હતા. ત્યારે સમગ્ર મામલાની જાણ નીતાબેન પ્રજાપતિ નામના મહિલાને થતાં તેણે રાજકોટ શહેરમાં કાર્ય કરતી સાથી સામાજિક સંસ્થા ને કરી હતી. ત્યારે સાથી સામાજીક સંસ્થાના આગેવાનો તેમજ સ્વયંસેવકો એ ઘરનું બારણું તોડી ત્રણેય ભાઈ બહેન સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સામાજીક સંસ્થાના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ દ્વારા સૌપ્રથમ તો ત્રણેય ભાઈ બહેન ને એક બાદ એક તેમના વાળ ને દાઢી કરાવી આપ્યા હતા તો સાથે જ ત્રણેય ભાઈ બહેનને નવડાવી તેમને નવા કપડાં પણ પહેરાવ્યા હતા. તો બીજી તરફ આ ત્રણ સંતાનોના પિતા નવીનભાઈ મહેતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા છ વર્ષથી મારા સંતાનો આજ હાલતમાં ઘરની અંદર પુરાઈને રહે છે હું જે કંઈ પણ બહારથી જમવાનું લઈ આપુ તે જમવાનું જમી ને ત્રણેય સંતાનો ઘરની અંદર પડ્યા રહે છે તો સાથે જ નવીનભાઈ મહેતા અંધશ્રદ્ધા ની અંદર મોટા પ્રમાણમાં વિશ્વાસ દાખવીને પોતાના સંતાનો પર પોતાનો જ પરિજને મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો હોય તે પ્રકારનું જણાવ્યું હતા.

વર્ષોસુધી દવા અને દુવા બંને કરી છે રાજકોટ શહેરના સારામાં સારા મનોચિકિત્સક તેમજ ઘણી મોટા નામ ધરાવતી ધાર્મિક જગ્યાઓ ના મહંતો તેમજ આચાર્ય પાસેથી પણ સારું થઈ જાય તે માટે જોવરાવાનું કામ કરાવ્યુ છે. તેમ છતાં આજ દિવસ સુધી તેમના સંતાનોનું ક્યારેય પણ સારું નથી થયું. નવીન ભાઈ નું કહેવું છે કે મારા મોટા પુત્રનું નામ અંબરીશ મહેતા છે જેને વકીલ નો અભ્યાસ કર્યો છે તેમ જ તે વકીલાત પણ કરતો હતો.

સંતાનમાં બીજા નંબરે મેઘા મહેતા નામની દીકરી છે જેણે એમ.એ વિથ સાયકોલોજી નો અભ્યાસ કર્યો છે. જે રાજકોટ શહેરની કણસાગરા કોલેજ માં ભણતી હતી. ત્રીજા નંબરનો દીકરો ભાવેશ મહેતા છે જેને પણ graduation complete કર્યું છે તો સાથોસાથ તે રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પણ કરતો હતો. જ્યારથી ત્રણેય સંતાનો એ પોતાની માતા ગુમાવી છે ત્યારથી ત્રણેય સંતાનો ઉપર કોઈએ મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો હોય તેઓ નવીનભાઈ મહેતા નું કહેવુછે.