ઘટના@થરાદઃ નર્મદા કેનાલમાંથી આશાસ્પદ યુવકનો મૃતદેહ મળતાં ચકચાર
અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક) કોરોના સંકટ વચ્ચે અનેક બનાવો સામે આવતાં રહે છે. આ સાથે બનાસકાંઠામાં એક દુર્ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં ગઇરાત્રે યુવક કેનાલમાં પડ્યો હતો. બનાસકાંઠાના થરાદ પાસે આવેલી નર્મદા કેનાલમાં અનેકવાર મૃતદેહ મળી આવતાં હોય છે. આ સાથે થરાદની નર્મદા કેનાલમાંથી સ્થાનિક તરવૈયાની મદદથી યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે.
Oct 24, 2020, 16:39 IST
અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક)
કોરોના સંકટ વચ્ચે અનેક બનાવો સામે આવતાં રહે છે. આ સાથે બનાસકાંઠામાં એક દુર્ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં ગઇરાત્રે યુવક કેનાલમાં પડ્યો હતો. બનાસકાંઠાના થરાદ પાસે આવેલી નર્મદા કેનાલમાં અનેકવાર મૃતદેહ મળી આવતાં હોય છે. આ સાથે થરાદની નર્મદા કેનાલમાંથી સ્થાનિક તરવૈયાની મદદથી યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકામાં આવેલી નર્મદા કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ગઇકાલે મોડી રાત્રે યુવક કેનાલમાં પડ્યો હોવાનું માલુમ પડતાં લોકોએ યુવકને શોધવાની ભારે જહેમત ઉટાવી હતી. ત્યારબાદ આજ રોજ સવારના સમયે આશાસ્પદ યુવકનો સ્થાનિક તરવૈયા એવા સુલતાન મીર દ્ધારા લાશને બહાર કઢવામાં આવી હતી. આ ઘટનાની જાણ વાયુ વેગે થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.