બનાવ@આણંદ: તારાપુર વટામણ હાઇવે પર ગંભીર અક્સ્માત, 2 લોકોના ઘટનાસ્થળે જ મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આણંદના તારાપુરમાં અકસ્માતમાં બેના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. તારાપુર-વટામણ હાઇવે પર ગમખ્વાર અક્સ્માત સર્જાયો હતો. કારની ટક્કરે બાઈક સવાર 2 યુવકોના મોત થયા હતા.તારાપુર વટામણ હાઇવે પર ગંભીર અક્સ્માતની ઘટના બની છે. આ અક્સ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે.કારની ટક્કરે બાઈક પર સવાર બે યુવકોના મોત થયા છે. ફતેપુરા ચોકડી પર આ ઘટના બની છે. બન્ને મૃતક ભોળાદ ગામના વતની છે. અક્સ્માતને લઈ પોલીસે ઘટનાને લઇ તપાસ હાથ ધરી છે.
આમોદ તાલુકાના તણછા ગામ નજીક એસ.ટી.બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા બસના ડ્રાઇવર સહિત પંદર મુસાફરોને સામાન્ય ઈજા થઈ હતી. જેમને આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી હતી. ભરૂચથી જંબુસર તરફ આવતી એસ.ટી બસને આજરોજ સવારે 11 કલાકે તણછા ગામ નજીક એક કન્ટેનર ચાલકે સામેથી જોરદાર ટક્કર મારતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં સવાર પંદરથી વધુ મુસાફરો ને નાની મોટી ઈજાઓ થઈ હતી.