ઘટના@સાબરકાંઠા: દિવાલ ધરાશાયી થતા 2 બાળકોના મોતથી અરેરાટી, એક ગંભીર રીતે ઘાયલ

 
ઘટના
પરિવારજનોમાં ભારે શોક 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સાબરકાંઠા જિલ્લા અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 15 વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સાબરકાંઠાના ખેડબ્રહ્માના રતનપુર ગામમાં વરસાદમાં ભેજના પગલે કાચા મકાનની દીવાલ ધરાશાયી થતા બે બાળકના મોત થયા છે. મકાન ધરાશાયી થતા 7 વર્ષ તેમજ 4 વર્ષના બાળકના મોતથી વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 15 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી અને મકાનો ધરાશાયીની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. 

સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં રતનપુર ગામે મકાન ધરાશાયી થતા બે બાળકના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. અચાનક દિવાલ ધરાશાયી થતા 2 બાળકોના કરૂણ મોત નીપજ્યા જ્યારે અન્ય એક બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘટનામાં સાત વર્ષ તેમજ ચાર વર્ષના બાળકના મોતથી વિસ્તારમાં અરેરાટી ફેલાઇ છે અને પરિવારજનોમાં ભારે શોક વ્યાપ્યો છે. આ જિલ્લા માટે આગામી 3 કલાક રાજ્યમાં મધ્યમથી અતિ ભારે વરસાદ રહેશે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.