શીશુ@પાલનપુરઃ સાગરોસણા ગામ પાસે કઠોર હદયની માતાએ નવજાત શીશુને ત્યજી દીધું

અટલ સમાચાર. દિયોદર, કિશોર નાયક પાલનપુર તાલુકાના સાગ્રોસણા ગામ પાસેથી આજે એક નવજાત શીશુ ત્યજી દિધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ગ્રામજનો દ્વારા તાબળતોબ તંત્રને આ બાબતે જાણ કરવામાં આવી હતી. તેમજ શિશુને108 દ્વારા પાલનપુર સિવિલમાં સારવાર માટે ખસેડાયું છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો કઠોર હદયની માતા દ્વારા
 
શીશુ@પાલનપુરઃ સાગરોસણા ગામ પાસે કઠોર હદયની માતાએ નવજાત શીશુને ત્યજી દીધું

અટલ સમાચાર. દિયોદર, કિશોર નાયક

પાલનપુર તાલુકાના સાગ્રોસણા ગામ પાસેથી આજે એક નવજાત શીશુ ત્યજી દિધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ગ્રામજનો દ્વારા તાબળતોબ તંત્રને આ બાબતે જાણ કરવામાં આવી હતી. તેમજ શિશુને108 દ્વારા પાલનપુર સિવિલમાં સારવાર માટે ખસેડાયું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કઠોર હદયની માતા દ્વારા કરાયેલા આ કૃત્યને લઇને ચારે કોર ફીટકારની લાગણી પ્રસરી જવા પામી છે. આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે રામ રાખે તેને કોઇ પણ નુકશાન શું થવાનું. અત્યારે બાળકની તબીયત સારી હોવાનું જાણવા મળ્યુ છે.

નોધનીય છે કે, બે દિવસ પહેલા મહેસાણા જિલ્લાના કડીમાં પણ એક ત્યજી દેવાયેલુ બાળક મળી આવ્યુ હતું. જેને લઇને પણ પોલીસ તેમણે તંત્ર દ્વારા તપાસ ચાલી રહી છે. કઠોર હદયની નિષ્ઠુર માતાઓ દ્વારા બાળકોને ત્યજી દેવાના વધતા કિસ્સાને લઇ આક્રોશ પણ જોવા મળી રહ્યો છે.