આંતરરાષ્ટ્રીયઃ પ્રદર્શનકારીઓ સંસદ અને PM હાઉસ સુધી પહોંચ્યા, શ્રીલંકામાં ઇમરજન્સી જાહેર

 
શ્રીલંકા

અટલ સમાચાર, ડેસ્ક


આર્થિક સંકટ સાથે લડી રહેલાં શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે દેશ છોડીને માલદીવ ભાગી ગયા છે. રાજપક્ષેનાં દેશ છોડવાં પર લોકોનો ગુસ્સો ભડકી ગયો છે. રાજધાની કોલંબોનાં રસ્તા પર પ્રદર્શનકારી ભારે ઉત્પાત મચાવી રહ્યાં છએ હજારોની સંખ્યામાં લોકો સંસદ ભવન તરફ માર્ચ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં પ્રદર્શનકારી પીએમ હાઉસ તરફ વધી રહ્યાં છે. હાલમાં શ્રીલંકામાં ઇમરજન્સી લાગૂ કરી દેવમાં આવી છે.

તો બીજી તરફ રાજપક્ષેનાં વિરોધનાં 139 દિવસ બાદ તેમનું રાજીનામુ આપી દીધુ છે. આજે સંસદમાં તેમનાં રાજીનામાંની જાહેરાત થઇ શકે છે. આ સાથે જ અંતરિમ રાષ્ટ્રપતિનાં નામની પણ જાહેરાત થશે.

શ્રીલંકામાં હાલમાં પરિસ્થિતિ જે રીતે વણશી રહી છે. ગોટબયાનાં દેશ છોડીને ભાગવાથી આક્રોશિત લોકોએ PM હાઉસને ઘેરી લીધુ છે. અફરા-તફીની સ્થિતિ તજોઇને હાલમાં શ્રીલંકામાં આપાતકાલ લગાવી દેવામાં આવી છે.

શ્રીલંકામાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારી PM રનિલ વિક્રમસિંઘનાં નિવાસસ્થાને પહોંચી ગયા છે. ત્યાં ભારે સુરર્ષા દળની તૈનાત છે. આ વચ્ચે સુરક્ષાદળોએ લાઠીચાર્જ પણ કર્યો છે અને આંસૂ ગેસનાં ગોળા પણ છોડ્યાં છે. તો શ્રીલંકાનાં પશ્ચિમી પ્રાંતમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે