રજૂઆત@થરાદ: તલાટીની બદલી રોકાવવા સરપંચ સહિત આખુ ગામ મેદાને
અટલ સમાચાર,થરાદ
થરાદ તાલુકાના ગામે તલાટીની બદલી રોકાવવા ગ્રામજનોએ રજૂઆત કરી છે. ગામમાં તલાટીએ ગૌચરમાંથી દબાણ હટાવવાની પ્રક્રિયા હાથ ધરી હોવાથી તેમની બદલી કરાઇ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. મોટી સંખ્યામાં થરાદ મામલતદાર ઓફીસ અને જીલ્લા પંચાયત ઉમટેલા ગ્રામજનોએ ચિમકી ઉચ્ચારી છે કે, જો તલાટીની બદલી તાત્કાલિક રોકવામાં નહિ આવે તો ગ્રામજનો જીલ્લા પંચાયત ખાતે ધરણાં કરશે. સરપંચ, સભ્યો સહિત આખુ ગામ તલાટીની બદલી રોકાવવા મેદાને પડ્યુ છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકાના ખારાખોડા ગામના તલાટીની બદલી રોકાવવા ગ્રામજનો મેદાને આવ્યા છે. ખારાખોડા ગામના તલાટીએ ફરજ ઉપર હાજર થતાં ગૌચરમાંથી દબાણ હટાવવાની પ્રક્રિયા હાથ ધરી હોવાથી તેમની બદલી કરાઇ હોવાની ચર્ચાએ જોર પક્ડયુ છે. આજે બપોરના સમયે ખારાખોડા ગામના સરપંચ, પંચાયત સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો થરાદ મામલતદાર કચેરી અને જીલ્લા પંચાયત પહોંચ્યા હતા. જ્યાં તેમને તલાટીની બદલી રોકવા રજૂઆત કરી જો બદલી રોકવામાં નહિ આવે તો જીલ્લા પંચાયત આગળ ધરણાં પર બેસવાની ચિમકી ઉચ્ચારી છે.