તપાસ@વડોદરા: સ્વીટી હત્યા કેસમાં આજે થશે મોટો ધડાકો ? FSLની હાજરીમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કોરોના કહેર વચ્ચે ગત દિવસોએ પોતાની પત્ની સ્વીટી પટેલની ઠંડે કલજે હત્યા કરીને લાશ ઉપર જવલનશીલ પદાર્થ નાખીને સળગાવી મુકનારા એસઓજીના પીઆઈ અજય દેસાઈ અને કોંગી અગ્રણી મિત્ર કિરીટસિંહ જાડેજાને કરજણની કોર્ટે 6ઠ્ઠી ઓગષ્ટ સુધી પોલીસ રિમાન્ડ પર સોંપવા માટે હુકમ કર્યો છે. આરોપી પીઆઈ અજય દેસાઈ અને કિરીટસિંહ જાડેજાને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ મંગળવારે FSLની હાજરીમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરશે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બન્ને આરોપીઓને સદ્યન પોલીસ જાપ્તા સાથે કોર્ટમાં રજૂ કરીને વિવિધ કારણોસર 14 દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી. બીજી તરફ કરજણના ભાડાના મકાનમાં તપાસ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બ્લડના શંકાસ્પદ સેમ્પલ મળ્યાં હતાં. અજયે સ્વીટીનું ગળું દબાવી મર્ડર કર્યું ? તો બાથરૂમના સિંકમાં બ્લડ કેવી રીતે મળ્યું ? તે તપાસનો વિષય છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના મદદનીશ પોલીસ કમિશનર ડી.પી.ચુડાસમા અને પીઆઈ ડી.બી.બારડે આરોપી પીઆઈ અજય દેસાઈ અને કોંગી અગ્રણી મિત્ર કિરીટસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરીને ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.જેમાં જણાવ્યુ હતુ કે, પીઆઈ અજય દેસાઇએ ૫ જૂને સ્વીટીની હત્યા કરી હતી. ત્યારબાદ કિરિટસિંહને વોટસએપ કોલથી લાશનો નિકાલ કરવા માટે જાણ કરી હતી. આરોપી અજયે સ્વીટીની લાશ સળગાવવા જીપ કંપાસમાં વપરાતા એડબ્યુ ફયુઅલનો ઉપયોગ કર્યો હતો. આ ગુનામાં બીજા કોઈ આરોપીઓ સામેલ છે કે કેમ, સ્વીટીની હત્યા કેવી રીતે કરી હતી તેની તપાસ કરવાની છે. સ્વીટીની લાશ સળગાવવા કયા કયા જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ કરાયો ? મૃતકની લાશના બીજા અવશેષો અન્ય સ્થળે સગેવગે કર્યાં હોય તેની તપાસ કરવાની છે. આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શનકરવા રિમાન્ડ જરૂરી છે. ત્યારબાદ કોર્ટે બન્ને આરોપીઓને ૬ઠ્ઠી ઓગષ્ટ સુધી રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
સ્વીટીની હત્યા થઈ તે ઘરમાંથી પોલીસને બ્લડના સેમ્પલ મળી આવ્યાં હતાં, જે તપાસર્થે FSLમાં મોકલાયાં હતાં. સ્વીટી પટેલ બીજી વાર ગર્ભવતી હોવાથી તેનો કાંટો કાઢી નખાયાની શંકા છે. સ્વીટી પટેલની મેડિકલ ફાઇલ પણ કબ્જે કરવાની બાકી છે. સ્વીટી પટેલ અને અજય દેસાઈ વચ્ચે ખરેખર ઝઘડો શું થયો તે મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે. સ્વીટી પટેલની લાશનો નિકાલ કર્યા બાદ કેટલીક અસ્થીઓનો અન્ય જગ્યાએ નિકાલ કરાયો હોવાનું તપાસમાં ખુલ્યુ છે. મૃતક સ્વીટીના ભાઇ જયદિપ પટેલ તરફથી કરજણ કોર્ટમાં એડવોકેટ હાજર રાખ્યો હતો. જેમાં એવી રજૂઆત કરી હતી કે, સ્વીટી ગર્ભવતી હોવાથી અથવા ઘર કંકાસના કારણથી તેનું મર્ડર થયું તેવી શંકા તેમને વ્યક્ત કરી હતી. જેથી સમગ્ર મામલે તટસ્થ તપાસ થવી જરૂરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.