J&K: સુરક્ષાદળોએ 2 આતંકવાદીઓને ઠાર કર્યા, 1 આર્મી જવાન ઘાયલ

અટલ સમાચાર, ડેસ્ક દક્ષિણ કાશ્મીરના અવંતીપુરા વિસ્તારના સમ્બૂરમાં આતંકવાદીઓએ છુપાયેલા હોવાની ગુપ્ત જાણકારીના આધારે સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લીધો અને ત્યાં તપાસ શરૂ કરી. સુરક્ષાદળો શોધખોળ કરી રહ્યા હતા ત્યારે જ આતંકવાદીઓએ ગોળીબાર કર્યો. સુરક્ષાદળોએ પણ જવાબી કાર્રવાઈ કરી અને ત્યાર બાદ આ અથડામણ શરૂ થઈ. જમ્મુ કાશ્મીરના પુલવામાં જિલ્લામાં અવંતીપોરામાં રવિવાવે આતંકવાદીઓ અને સુરક્ષાદળોની વચ્ચે
 
J&K: સુરક્ષાદળોએ 2 આતંકવાદીઓને ઠાર કર્યા, 1 આર્મી જવાન ઘાયલ

અટલ સમાચાર, ડેસ્ક

દક્ષિણ કાશ્મીરના અવંતીપુરા વિસ્તારના સમ્બૂરમાં આતંકવાદીઓએ છુપાયેલા હોવાની ગુપ્ત જાણકારીના આધારે સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લીધો અને ત્યાં તપાસ શરૂ કરી. સુરક્ષાદળો શોધખોળ કરી રહ્યા હતા ત્યારે જ આતંકવાદીઓએ ગોળીબાર કર્યો. સુરક્ષાદળોએ પણ જવાબી કાર્રવાઈ કરી અને ત્યાર બાદ આ અથડામણ શરૂ થઈ. જમ્મુ કાશ્મીરના પુલવામાં જિલ્લામાં અવંતીપોરામાં રવિવાવે આતંકવાદીઓ અને સુરક્ષાદળોની વચ્ચે અથડામણ થઈ, જેમાં બે આતંકવાદી ઠાર થયા. આ અથડામણ દરમિયાન એક જવાન પણ ઘાયલ થયો છે. ગોળીબાર દરમિયાન જવાનને એક આતંકાદીની ગોળી પગમાં લાગી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અધિકારીએ જણાવ્યું કે, અથડામણમાં બે આતંકવાદી માર્યા ગયા છે. માર્યા ગયેલ આતંકવાદીઓની ઓળખ અને તે ક્યા ગ્રુપ સાથે જોડાયેલ હતા તેના વિશે જાણકારી મેળવવામાં આવી રહી છે. જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોની કાર્રવાઈથી બચાવ માટે આતંકવાદી સંગઠનોમાં શૌચાલયોની નીચે બંકર બનાવીને સંતાવાવની એક નવી રીત જોવા મળી રહી છે. પોલીસ અને સેના અધિકારીઓનું માનવું છે કે, સુરક્ષાદોળની સાથે થયેલ જુદી જુદી અથટામણાં અનેક આતંકવાદીઓ માર્યા ગયા બાદ આતંકી સંગઠન અને તેમની સાથે સહાનુભૂતિ રાખનાર સંતાવવા માટે નવા રસ્તા શોધી રહ્યા છે.

J&K: સુરક્ષાદળોએ 2 આતંકવાદીઓને ઠાર કર્યા, 1 આર્મી જવાન ઘાયલ
જાહેરાત